SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી નાટયસાહિત્યમાં અભિનેય નાટકાનું સ્વરૂપ નાટકમાં દૃશ્યાત્મકતા હેાય પણ તે કેવળ દૃશ્ય કે કેવળ મનેાર જક કે કેવળ શ્રવ્ય ન હોય. અને જેમ દેશકાળ ફરતા ગયે છે, તેમ નાટકમાં યે નવાં નવાં પરિવતા થયાં છે, નવાં નવાં રૂપા ઉમેરાયાં છે. દાખલા તરીકે, રેડિયા નાટિકા. જો કે એય કેવળ શ્રવ્ય નથી કારણ કે પઠન કરનારે ભાવાનુરૂપ વાચિક અભિનય કરવા પડે છે. વાચિક અભિનય, ભાષા એ નાટકનું બહુ મહત્ત્વનું સાધન છે. ખીજા સાધનસરંજામ પર ભાર મૂકવા તે ચેગ્ય નથી. આપણે ત્યાં એવું બની રહ્યું છે, કારણ કે આપણે ત્યાં પ્રાચીન પ્રણાલિકાને અનુસરવાની વૃત્તિ કૉંઈક મંદ છે. સામે પક્ષે પાશ્ચાત્યને, આધુનિકને સ્વીકારવાની આપણી તત્પરતા વધારે છે. આપણે પ્રયાગા ઝીલવાને વધુ ઉત્સુક છીએ, પ્રાયેાગિકતાની ધગશ સેવીએ છીએ, પણ લેાકરુચિ કેળવાઈ નથી. એમના અધિકાર વધ્યા નથી. નાટકમાં ર'ગસજાવટની માફક જ ભાષાની યે સજાવટ ઘણી વાર મર્યાદા એળગી જાય છે. પરિણામે લેાકાને કલ્પના ઉત્તેજાય એમ લાગતું નથી. નાટકમાં પ્રેક્ષક સહકારી બને એ જોવું જોઈએ. દાખલા તરીકે કાલિદાસનાં નાટકા, એમાં આવતા લૈકામાં-કેાઈક ડેાક મરડીને પાછું જોતા ને આગળ દાડશે જતા હરણનું વર્ણન હોય તેા, ધારા કે તમે હરણને રગમ ચ પર તા લાવેા, પણ એને પાછું કઈ રીતે જોવડાવશે ? એટલે એ વણું નમાંથી જ-એના પાનમાંથી જ-તાદશતા લેકેાના મનમાં ખડી થાય. આવાં વર્ષોંને ને લેાકેા નાટકમાં આવસ્યક ને સપ્રયેાજન છે. ગીતા પણ નાટકમાં જરૂરી છે—એની સામેની સૂગ ન જોઈએ— પણ નાટકમાં એ સપ્રયેાજન, ચેાગ્ય સ્થાને જ આવતું હેાય તા.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy