________________
૯૪
અક્ષર રૂપકને આ અર્થ સમજાયા પછી મને લાગે છે કે રેડિયો રૂપકને રૂપક કહેવું શાસ્ત્રીય દષ્ટિએ ન્યાપ્ય છે અને વ્યવહારુ દષ્ટિએ ફાવતું છે
પણ સાચી વાત તો એ છે કે રેડિયે રૂપકને પ્રકાર અર્વાચીન અને સર્વથા અપરિચિતપુર્વ પ્રકાર છે. તેને પ્રાચીન પ્રકારોમાં જેમ તેમ સમાવેશ કરવાનો પ્રયત્ન શક્ય હશે તો પણ સફળ થવો મુશ્કેલ હશે. ખરી રીતે તે, પ્રાચીન સાહિત્યશાસ્ત્રીઓએ કાવ્યના દશ્ય અને શ્રવ્ય એવા બે વિભાગો પાડ્યા છે તેમાં કેવળ શ્રવ્ય” પ્રકાર આજે આપણે ઉમેરવો જોઈએ. જેમ પ્રાચીનેએ દશ્ય તરીકે
સ્વીકારેલો પ્રકાર શ્રવ્ય-અંશવાળા પણ છે તેમ તેમણે સ્વીકારેલો શ્રવ્ય-પ્રકાર દશ્ય-અંશથી મુક્ત નથી, કારણ કે રઘુવંશ જેવું કાવ્ય વાંચી સંભળાવનાર સહદય વ્યક્તિ વાચિક અભિનય સાથે મુખ, હાથ વગેરે દ્વારા આંગિક અભિનય પણ સહેજે કરતી રહેશે. આ દશ્ય અંશ થવ્ય કાવ્ય સાથે અનિવાર્ય રીતે સંકળાયેલો છે. તેથી જેમ મૂક અભિનય, મૂક-ચિત્રપટ વગેરે “કેવળ દશ્ય” પ્રકાર છે તેમ ધ્વનિમુદ્રા ( records) અને રેડિયો દ્વારા રજૂ કરાતું સાહિત્ય
કેવળ શ્રવ્ય” પ્રકારનું છે. રેડિયે રૂપક માટે કોઈક વાર “શ્રુતિકા” શબ્દ વપરાતે સાંભળે હતો તે સ્વીકારવા જેવો લાગે છે. તે (જીવનમાધુરી, ઓગસ્ટ ૧૯૫૭)