________________
અક્ષા
બીજુ, “ભાણ” વાણપ્રધાન-કથનપ્રધાન રૂપક પ્રકાર છે. તેનું નામ મદ્ ધાતુ ઉપરથી “ભાણ' પડયું છે એ સ્વીકારી લઈએ, પણ રેડિયો રૂ૫ક પણ વાણીપ્રધાન-વાણમય-છે એટલા ઉપરથી તેને માટે વિશિષ્ટ પ્રાચીન રૂપક પ્રકારના અર્થમાં રૂઢ થયેલો “ભાણ શબ્દ યોજવાનું ભાગ્યે જ સ્વીકારી શકાય. નટ અને અભિનયની દષ્ટિએ તો રેડિયો રૂપક અને “ભાણ” વચ્ચેનો ભેદ આપણે હમણાં જ . તે ઉપરાંત, વસ્તુ અને રસની દૃષ્ટિએ પણ એ બંને વચ્ચે ઘણો ભેદ છે. “ભાણમાં ધૂત અને વિટની વાતો હોય, આકાશ– ભાષિતને વિપુલ પ્રયોગ હેય, એક જ અંક હોય. ક્યાં આ “ભાણ” અને કયાં રેડિયો રૂપક ?
અંતમાં પ્રા. માંકડ કહે છે કે રેડિયો રૂપકને “રૂપક તો કહેવાય જ નહિ કેમ કે રૂપમાં રૂપને એટલે કે આહાર્ય અભિનયને ભાવ પ્રધાન છે, જેને આમાં સાવ અભાવ છે.” આ વિધાન ચિંત્યા લાગે છે. પ્રા. માંકડે “ભાણમાં આહાય અભિનયને “લગભગ સ્થાન નથી જ' એમ કહ્યું છે, તો ભાણીને પણ આ કારણે “રૂપક” નહીં કહી શકાય. વસ્તુતઃ પ્રા. માંકડે, “રૂપકનો અર્થ બહુ સાંકડે કર્યો હેય એમ લાગે છે. “રૂપ અને અર્થ “આહાર્ય અભિનયને ભાવ” એમ સ્વીકારીએ તો પણ “ક”ને અર્થ એટલો જ કરવાનું આવશ્યક નથી તેમ ઉચિત પણ નથી. દશરૂપકકારે રૂ૫ અને રૂપક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી વ્યાખ્યાઓ આપી છે. જ ટર તરસે . આ લક્ષણનું વિવરણ કરતાં ધનિક કહે છેઃ તવ નાટાં દર માનતા હafમયુરતે નીકાવત્ / અર્થાત, નાટયવસ્તુ દશ્ય-દષ્ટિગોચર બને છે તેથી નીલ વગેરે રૂપની પેઠે તેને “રૂપ' કહેવામાં આવે છે. કા# સારેવા દશરૂપકકાર ધનંજયે આપેલા રૂપકના આ લક્ષણનું વિવરણ કરતાં ટીકાકાર ધનિક કહે છેઃ નટે સમાચારેવેન વર્તમાન વ્યર્ ર્ ! અર્થાત, નટ ઉપર રામ વગેરે પાત્રોનો આરોપ કરાયો હોય છે તેથી નાટને “રૂપક”