SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવૈભવ બિરાજમાન છે એવી અનુભૂતિથી જે પ્રવૃત્તિ કરે જે એનામાં અંતઃસ્ફુરણા – (intuition) વધારે તીવ્રતાથી કામ કરે છે. ૨ પેાતાના મનમાં થતા વિચારેને ધ્વનિ સામાના મનમાં થાય છે અને પેાતાને કહેવાની વાત સામાના મુખથી કહેવાઈ જાય છે. સામાને કહી જવાનું કામ કાણ કરે છે? આપણું અનંત જ્ઞાનમયે ચૈતન્ય. આ જ્ઞાન ઘણી રીતે અવિષ્કાર લે છે. વિદ્યા મેળવવાથી, પ્રયત્ન કરવાથી, એકની એક વાત ઉપર એકાગ્રતા કરવાથી. શૈશવકાળમાં અમારા શિક્ષક અમને કહેતા : Give maximum strain to your brain and everythiug will be clear. બને એટલું મનને એકાગ્ર કરે અને તમને જવાબ મળી જશે. લોકેા ખાવાનું જેટલું પસંદ કરે છે એટલું વિચારવાનું નથી કરતાં. ખાવાનું ત્રણવાર જોઇએ પણ વિચારવાનું એક વારમાં પતી જતું હેાય તે! કેવું સારું? કહે કે અમારા વતી તમે જ વિચારી લેા, તમે જે કહેશે। એ બરાબર જ હશે. Less to stomach and more to brain. પેટને એછું અને મગજને વધારે. અત્યારે દુનિયામાં ઊંધું ચાલી રહ્યું છે. પેટને ખૂન્ન અને મગજ ખાલી. શરીર માટું થાય અને મગજ નાનું થાય, ખલાસ થઇ જાય. એટલે જ તે psychiat rist અને psychology analyse કરનારા ડોકટરાના રાફડા વધતા જ જાય છે. મગજ ખાલી થતું જાય અને શરીર વધતું જાય પછી સ્થિતિ શું થાય ? અવળી થાય. એકાગ્રતા એ શકિત છે, એ જેટલા તેટલા પ્રમાણમાં ચૈતન્યની જ્ઞાનશકિત પ્રમાણમાં વધે. બહાર આવે.
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy