SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવૈભવ ૫૫ કેટલાક કહેઃ “તમે જે છે તે ખરા ! એક દિવસ એવું જીવીશ જાણે સ્વર્ગ.' કહ્યું : જે આજ નથી જીવતો તે કયારે જીવવાને ? જે ભવિષ્યમાં કરવાની દૃષ્ટિ રાખીને બેઠા છે એ વર્તમાનમાં, પિતાની પાસે જે ક્ષણે છે એને પેલા ભિખારીની જેમ દુરુપયોગ કરી રહ્યા છે. સુખ અંદર શોધવાનું છે. શોધવા માટે નક્કી કરો કે હું આનંદમય છું. આ વિચારને મુખ્ય સિદ્ધાંત (fundamental principle) તરીકે સ્વીકારવાને છે. સ્વીકાર્યા પછી જ આગળ વધી શકાશે. જ્યાં સુધી આ વિચાર તમારા મનના ઊંડાણમાં બેસે નહિ ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. ગાડી ત્યાં જ અટકી જાય છે. ગાડીનાં આગલાં પૈડાં (wheel) આગળ માટે પથર. મૂકી દો અને પછી ગાડીને ચાલુ start) કરે તો ગાડી start જરૂર થાય ,પણ આગળ વધે નહિ. એમ આપણે આપણા વિકાસના માર્ગમાં પહેલાં જ એક દુઃખને પથરો મૂકી દીધે છે. માની લીધું છે કે હું પાપી છું, હું દુ:ખી છું. ખલાસ ! હવે આગળ નહિ વધી શકાય. * જયોતને ચીમની સાથે કાં સરખા ? અંદરની જાત તે ઊજળી જ છે, ચીમની કાળી થઈ ગઈ છે. ચીમનીને જયોતની સાથે એક ન કરે. ચીમની એ મન છે, વાસના છે, વૃત્તિ છે. ત્યાં મેંશ જામી જાય છે. જે તને તો કોઈ અડતું નથી. જયોતને જે અડવા જાય એ જ જલી જાય છે. આપ સહુમાં આ આત્માની જયોત છે. એને કઈ કાળી કરી શકે એમ નથી.
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy