SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવૈભવ આઈન્સ્ટાઈનને પોતાની ધૂનમાં બે મહિના સુધી દાઢી કરવાને ખ્યાલ પણ નહેાતે આવ્યો. માટે તમે માત્ર સાધન તરફ જ ન જુઓ, સાધક તરફ પણ જુઓ. સાધક સાધનાથી શું સાધ્ય કરી શકે છે; શું સર્જન કરી શકે છે ? આપણે માત્ર એમણે કરેલી શોધને લાભ ઉઠાવી ઉપગ જ કરીએ અને કાંઈ પણ નવસર્જન કર્યા વિના, દુનિયાને કાંઈ પણ આપ્યા વિના એમના એમ જ ચાલ્યા જઈએ તે શું આપણે આ જગતના દેવાદાર નથી બનતા ? અંદરના પલટાથી બહાર શું પલટો આવે છે અને બહારનાં સાધને અંદરના જીવનને ઘડવામાં કેવાં મદદગાર બને છે એ વિચાર કરવાને છે. ખેતવાડીના પ્રદર્શનમાં એક ખેડૂતે એક સુંદર ફળ મૂકયું હતું. દૂરથી જુઓ તો પાણીને કુંજો લાગે. કોકને થાય ખેતવાડીના પ્રદર્શનમાં કુંભારે બનાવેલા કુંજાનું શું કામ પડયું ? પણ નજીક આવતાં ખ્યાલ આવે કે એ કુંભ નથી, Jug નથી. પણ એક કાળું હતું. બધાને આશ્ચર્ય થયું. બધી જાતના આકારે થાય પણ કેળામાં કુંભને આકાર કેવી રીતે ? ખેડૂતને 'પૂછયું તો કહ્યું: મેં અખતરે experiment કર્યો. કાળું નાનું હતું ત્યારે કંજામાં મૂકી દીધું. ધીમે ધીમે પેલું અંદર વધતું ગયું. વધતાં વધતાં જ્યારે એનો વિકાસ growth પૂરે થવા આવ્યા ત્યારે outer shell તોડી નાખ્યા. અંદરથી કુંભ જેવું કાળું નીકળ્યું. - જીવનને શું આ સિદ્ધાંત લાગુ પડતો નથી ? માણસ પિતાના વિચારની બહાર જઈ શકતો નથી, outer shellની
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy