SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] પૂના પગથારે જે નથી દેખાતું એ મહત્વનુ છે. અદેખતાને દેખતા થવા માટે દિવ્ય અ ંજન જોઇએ, દ્વિવ્ય દૃષ્ટિ જોઈએ. દેખતાને સહે દેખે પણ ન દેખતાને દેખે એનું નામ સમ્યગ્ દૃષ્ટિ. બધું કરે પણ આત્માને ભૂલે નહિ. હવે બીજો વિચાર. પરિસ`વાદનું બીજુ સેાપાન: જો હું અમર રહેવાના છું, મરતા નથી તે અહીંથી કયાં જવાના ? અને જ્યાં જઈશ ત્યાં સાથે શું આવવાનું? અહીં જે હું કરણી કરવાના તે સાથે આવવાની. અહીં બધું ગોઠવાયેલું છે, કાંઈ કરવું પડતું નથી જ્યાં આ જીવ જન્મે છે ત્યાં બધાં સગાં થઇને આવે છે. જીવ આવે છે ત્યારે એકલા આવે છે. કોઇકને મારુ કુટુંબ હોય છે, કાઇકને કાઇ જ નહિ. તા આ એકપણું અને આ અનેકપણુ એ કાની ગોઠવણી ? પૂર્વજન્મમાં જે પુણ્ય અને પાપ કયુ તે પ્રમાણે આ જન્મમાં ગાઠવણી થાય છે. આ એવી સૂક્ષ્મ ગૂંથણી છે કે એમાં બુદ્ધિ પણ કામ નથી કરતી. આત્મા એક ભવથી બીજા ભવમાં જાય છે ત્યારે જતી વખતે સાથે કાણ આવે છે ? આત્મા સાથે કર્મ નામની સત્તા આવે છે. ક` એક છે પણ કર્મોથી એ વસ્તુ અને છે : પુણ્ય અને પાપ. જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય અને પાપ એના પરલોકનાં ભોમિયા અને છે, સાથી અને છે.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy