SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી મૈત્રી દિન [૫૩] - આપણે ગઈ કાલે પ્રભુ મહાવીર સ્વામીનું જન્મ-કલ્યાણક તે ઊજવ્યું. પણ આપણે પ્રથમ એમના મુખ્ય સિદ્ધાંતને જીવનમાં ઉતારવા માટે પૂર્ણ પ્રયત્ન કરે પડશે. ભગવાને બતાવ્યું કે અહિંસા એ જ ધર્મનું અને જીવનનું મૂળ છે. અહિંસા શું છે? તું જીવવા ઈચ્છે છે તે સંસારના બધા જ પ્રાણીઓ જીવવા માગે છે. આ અહિંસા બે પ્રકારની છે વિધેયાત્મક અને નિષેધાત્મક - નિષેધાત્મક એટલે કે આ નહિ ખાવું, આ નહિ કરવું. આજે ચતુર્દશી છે એટલે આ નહિ ખવાય. પણ જે વિધેયાત્મક છે એટલે શું કરવું એ વાત પણ વિચારવી જોઈએ. લેકે શું નહિ કરવું એ વાત જાણે છે, પણ શું કરવું એ વાત ભૂલી ગયા છે. મહાપુરુષોએ કહ્યું કે માનવી નિષેધ ખૂબ કરે છે પણ જે વિધેયાત્મક છે એ નથી કરતા. આપણે એ જાણીએ છીએ કે શું ન કરવું પણ આપણે એ નથી જાણતા કે શું કરવું. મારું કર્તવ્ય શું, મારે શું કરવું જોઈએ એને વિવેક એટલે વિધેય. જે દિવસથી માનવના જીવનમાં વિધેયને અરુણોદય થાય છે એ દિવસથી માનવના હૃદયમાં કર્તવ્યને પ્રકાશ પ્રગટે છે. એ દિવસથી એ પૂર્ણતા પ્રતિ પ્રયાણ કરે છે. તે આજે આપણે કરવાની વાત કરવાની છે. નહિ કરવાની વાત તે બહુ વર્ષોથી કરી અને કરવાની વાત ભૂલી ગયા. એટલે જ હિંદુસ્તાનમાં આટલા લેકે હોવા છતાં આજે ગરીબી છે, નિર્ધનતા છે, પરેશાની છે અને દુષ્કાળને
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy