SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ કલ્યાણક [૩૯] થયે એ મારા જીવનની એક નાની કહાણી છે. હું જે દેશમાં મેટે થયે એ દેશની ભાષા ગુજરાતી નથી પણ કન્નડ છે અને આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જૈનધર્મથી પરિચિત પણ નહતું. ત્યાં એક દિવસ મેં કન્નડ ભાષામાં ભગવાન મહાવીરને એક સુંદર અનુવાદ વાંચ્યો. એ વાક્ય હતું: “જે રીતે કેરીને હૃદયમાં છુપાયેલી ગેટલીમાં એક વિશાળ આંબાનું ઝાડ છુપાયેલું છે એ રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા–ભગવાન છુપાયેલું છે એને તું શેધી લે.” બસ, આ એક નાનું વાકય વાંચ્યું અને મને લાગ્યું કે જે રીતે આંબાની ગોટલીમાં એક મેટું વૃક્ષ છે અને ચકમકમાં આગ છે, તે પ્રકારે આપણા આ શરીરમાં, આપણી આ કાયામાં જ પરમાત્મા છે, ઈશ્વર છે, આ જ વાત ભગવાન મહાવીરે પિતાના જીવનમાં બતાવી. નયસારના જીવનમાંથી પ્રારંભ થયેલા વિકાસ ભગવાન મહાવીરના જીવનમાં પૂર્ણતાના શિખરે પહોંચ્યા. એ માનવમાંથી મહામાનવ બન્યા, બીજને ચન્દ્ર પૂર્ણ ચન્દ્ર બને. એમને જન્મ કયાં થયે? બિહારમાં. જે બિહાર ભૂમિ આજ અન્ન અને પાણી વગર પરેશાન છે, એ ભૂમિમાં - કરુણાસાગર ભગવાન મહાવીરને જન્મ થયે હતે. રાજગૃહીના ક્ષત્રિયકુંડના રાજકુળમાં એમને જન્મ થયે હતા. યશોદા જેવી સુંદર પત્ની હતી અને પ્રિયદર્શના જેવી સંસ્કારવાન પુત્રી હતી; રાજવૈભવ હતું અને સુખ ચારે બાજુ ફૂલની સુવાસની માફક ફેલાઈ ગયું હતું. પણ મહેલની બહાર એમને લાગ્યું કે દુઃખ છે, દર્દ છે, આંસુ છે, માનવ
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy