SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ “વિકાસ” [૧૫] દિવસે પૈડા લઈ એના ભૂલકાંને આપે. આ જોઈને તે તમારી આંખમાં અમી વસવાં જોઈએ. તમને એમ થવું જોઈએ કે અમે તે રેજ ખાઈએ છીએ, ચાલે ગરીબ પણ ખાય છે. એ પણ જીવ છે, મનુષ્ય છે. આ દષ્ટિ કેળવવાની જરૂર છે.” ઘણીવાર આવા પ્રસંગે જોઈ દાન દેનારા આ બહાને આપવાનું બંધ કરે છે. સમાજમાં વ્યકિત વ્યક્તિ વચ્ચેના ખોટા ખ્યાલ નીકળી જાય તે સમાજ બહુ નજીક આવે, એકબીજાને સમજે અને એકબીજાને ટેકે બને. આજે સુખને દિવસ છે. શી ખબર કે કાલે સુખને દિવસે નહિ બદલાય ! કંચન, કાયા અને કુટુંબ અશાશ્વત છે. એ હોય ત્યારે એને સારે ઉપગ કરી લે તે જીવન ધન્ય થાય. વસ્તુ હોય ત્યાં સુધી ઉપયોગ કરી લે. એક રાજા પાસે એક વિચારક ગયે. વિચારકે પૂછ્યું: “તમે આટલા બધા સુખી કેમ છે?” રાજાએ કહ્યું : આજે ઉત્તર નહિ આપું પણ આ વડલાના ઝાડ નીચે બેસ, ત્યાં છ મહિના રહેવું પડશે. આ વડલો સુકાઈ જશે ત્યારે કહીશ.” - પેલા વિચારકને એક જ વિચાર રાત-દિવસ આવે. આ વડલે જલદી સુકાતે કેમ નથી? ક્યારે સુકાશે? રેજ જુએ. ધીમે ધીમે પાંદડાં પીળાં પડવા લાગ્યાં અને ત્રણ મહિનામાં વડલે સુકાઈ ગયે. વિચારક રાજા પાસે ગયે તે રાજાએ કહ્યું : “વડલે નવપલ્લવિત બને, ફળફૂલથી લચી પડે ત્યારે ઉત્તર આપીશ.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy