SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૪] પૂર્ણ પગથારે જેમણે પિતાના વિકાસમય જીવનની સુવાસ ફેલાવી એમના નામને, એમના સ્મરણને, એમની કીર્તિને ડંકે આજે પણ સર્વત્ર વાગી રહ્યો છે. એ કાંઈ ધન-સંપત્તિ આપી નથી ગયા પણ એ વિકસી ગયા. એમના સમયમાં એ વિકાસની પૂર્ણતા પામી શક્યા.. જેમ જેમ કાળ વહેતે જાય છે તેમ તેમ આવા મહાપુરુષના નામની સુવાસ વધારે અને વધારે ફેલાતી રહે છે, લોકોને પ્રેરણાનાં પાન કરાવી તેમના માર્ગને અજવાળી રહે છે. જે દેહ માં જીવીએ છીએ એ દેહ પડી જવાને, જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા વિખરાઈ જવાની અને જે સ્વજને આપણી પાસે છે એ છૂટા પડવાના. ટૂંકમાં કશું જ શાશ્વત નથી, છતાં આપણે જાણે અમરત્વ પ્રાપ્ત કરીને આવ્યા હોઈએ એમ વતી એ છીએ? માણસ પૂતળાં મુકાવવાથી કે ફટાથી અમર નથી બનતે. એ એનાં સુકાર્યોથી અમર બને છે. જેમ જેમ કાળ વહેતે જાય તેમ તેમ સુકાર્યોનું તેજ વધતું જાય છે. જેમ અંધારામાં દીવ ચમકે છે એમ કાળ વ્યતીત થતાં એમનાં નામ ચમકે છે. ' આપણે વિચારીએ કે આપણે સંસારમાં શું કરી શકીએ? સંસારને શું આપી શકીએ ? સંસારમાંથી શું લઈ જઈ શકીએ ? ' ડુંક લેતા જઈએ ને થોડુંક દેતા જઈએ. આ લેવડદેવડ છે. પણ તમને એમ થશે કે શું લેવું અને શું દેવું ? આ સંસારમાં લેવા જેવું હોય તે લેકની શુભેચ્છા છે. રોજ એકાદી પણ શુભેચ્છા જીવનના ખાતામાં જમે ક
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy