SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૦] પૂણેના પગથારે તે, દુનિયાની આ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે સંસારનાં આ વૈદકશાસ્ત્ર કહે, અર્થશાસ્ત્ર કહે કે પછી રાજ્યશાસ્ત્ર કહે–એ ગમે એવાં શકિતશાળી હેય, તે પણ એ મર્યાદિત સુખ આપી શકે, પૂર્ણ અને શાશ્વત નહિ જ. અમર્યાદિત સુખ આપનાર, શાશ્વત સુખ આપનાર, જે સુખ આવ્યા પછી દુઃખને સંભવ જ ન હોય એવું સુખ આપનાર જગતમાં કઈ હોય તે એ આત્મદર્શન છે. આત્મદર્શન કેઇ દવે નથી કરતું, અને એ કઈ દહાડે બજારમાં આવીને એમ પણ નથી કહેતું કે મારા વિના તમને નહિ ચાલે. પણ તમે જે શોધ કરશો તે તમને અંતે ખબર પડશે કે એના વિના આપણને ચાલે એમ નથી. એ બેલતું નથી; અને એટલા જ માટે ધર્મની ભાષા એ મૌનની ભાષા છે; એ માનમાં જ બધું કહે છે, અને મૌનમાં જે એને અનુભવ થાય છે. એટલા માટે ધર્મની બધી જ ક્રિયાઓ શાંતિપ્રધાન, યેગપ્રધાન, સંયમપ્રધાન, સમાધિપ્રધાન અને મૌનપ્રધાન છે. ધર્મક્રિયાઓમાં આ પાંચ વસ્તુઓ જેટલી આવતી જાય એટલું તમારામાં ઊંડાણ આવે અને આત્મદર્શનને તમને અનુભવ થતે જાય. આત્મદર્શન–આત્મશાસ્ત્ર એ શાંતિપ્રધાન છે. આપણે જેવા એ માર્ગે ચાલીએ ત્યાં અંદરથી સંભળાયઃ ઠરી જાઓ. તમે કરશે ત્યારે જ તમારું જે છે તે તમને દેખાશે. ઠેરવાનું જે કઈ કહેતું હોય તે એક જ દર્શન કહે છે, અને તે આત્મદર્શન કહે છે. કારણ કે જ્યાં સુધી ઠરે નહિ ત્યાં સુધી પિતાની વસ્તુ પિતાને મળે નહિ. જ્યાં સુધી ચંચળતા
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy