________________
મા ૭૬ મા કામમાં અનેકાંત અને સ્યાદ્વાદ સ્વભાવ મુજબ વર્તે છે. એટલે કાર્યનું કારણ કાળ નથી પણ સ્વભાવ જ છે.”
ભવિતવ્યતાઃ જે લોકો આ ભવિતવ્યતાને કારણે માને છે, તે બધા કાળને અને સ્વભાવને તરછોડે છે. તેમનું એવું કહેવું છે કે “જે ન બનવાનું હોય તે બનતું નથી. ભવિતવ્યતા અનુસાર જ બનવાનું હોય તે અન્યથા થતું નથી. નિયતિ જે બાજુ માણસના મનને ખેંચી જાય, તે તરફ માણસ પરવશપણે દોરાય છે. જો નિયતિ (ભવિતવ્યતા) અનુકુળ હોય, તો વગર ચિંતવ્ય પણ કાર્ય થાય છે.
‘વસંત ઋતુમાં આંબા ઉપર પ્રત્યેક ડાળીએ લાખો મહોર ઉગે છે. તેમાંથી કેટલાયે ખરી જાય છે, કેટલાક ખાકટી, કેટલાક આંબા અને કેટલાક શાખ બને છે. ગર્ભમાંથી જન્મતા બધા જ જીવતા નથી. આ તેની તેવી તેવી ભવિતવ્યતાનું સૂચક છે.” તેઓ વળી એક મજાનું દૃષ્ટાંત પણ આપે છે.
“એક પંખી વૃક્ષ ઉપર બેઠું બેઠું કલ્લોલ કરે છે. જમીન ઉપર થોડેક દૂર એક શિકારી એ પંખીનો શિકાર કરવા માટે તીર અને કામઠું લઈને ત્યાં આવે છે. ધનુષ્યમાં બાણ ચઢાવીને પેલા પંખીને હણવા માટે એ નિશાન સાધે છે. બીજી તરફ ઉંચે આકાશમાં ઉડતા એક સિંચાણાની નજર પણ એ પંખી ઉપર પડે છે. એ પંખીને પોતાની ચાંચમાં લેવા પોતાનો ભક્ષ મેળવવા, એક રોકેટની ઝડપથી એ સિંચાણો નીચે આવી રહ્યો છે.
“આ પંખીનું તો હવે આવી જ બન્યું છે. એક બાજુથી પારધિનું બાણ અને બીજી તરફથી સિચાણાની તરાપ. આ બેમાંથી ગમે તે એક દ્વારા એ પંખીનું મૃત્યુ લગભગ નિશ્ચિત લાગે છે.
પણ, બને છે એવું કે એકાએક તીર છોડવાની અણી ઉપર આવેલા પેલા પારધીના પગમાં સર્પ ડસે છે; એનું ખેંચેલું બાણ છૂટી તો જાય છે; પણ નિશાન ચૂકતા પેલા પંખીને વાગવાને બદલે એ પંખીનો શિકાર કરવા માટે ઉપરથી ધસી આવતા સિંચાણાને તે વીંધી નાખે છે. પેલું પંખી ત્યાંથી સહિસલામત ઉડી જાય છે. હમણા પોતાનું ભક્ષ્ય મળી જશે એવા ખ્યાલમાં રાચતો સિંચાણો પંખીને મારવાને બદલે પોતે જ મરી જાય છે. પંખીને વીંધી નાંખીને વૃક્ષની નીચે પાડવાનો અને પોતાને ત્યાં લઈ જવાનો મનસુબો સેવતો શિકારી ખૂદ શિકાર બની જાય છે. જેનું મૃત્યુ નિશ્ચિત દેખાતું હતું તે પંખી અજબ રીતે બચી જાય છે.” *
આ એક ત્રિવિધ ઘટનાનો હવાલો આપણને આપીને ભવિતવ્યતાવાદી પૂછે છે, કે “આમાં નિયતિ સિવાય બીજું કયું કારણ હોઈ શકે?” નિશ્ચય એ ભવિતવ્યતાનું જ કારણ હતું. તેઓ વધારામાં આપણને કહે છે કે “ગાઢ અરણ્યમાંથી અને ખૂનખાર યુદ્ધના મેદાનોમાંથી માણસો જીવતા પાછા આવે છે અને ઘરમાં બિછાનામાં સૂતેલા