________________
મન પાંચ કારણ વિના ૭૫ પ્રત્યેક કાર્ય માટે ફક્ત સ્વભાવને જ જવાબદાર ગણે છે. જે લોકો ભવિતવ્યતાનિયતિને માને છે, પ્રત્યેક કાર્યના કારણ તરીકે નિયતિ સિવાય બીજું કશું જ સ્વીકારવાની ના પાડે છે. ચોથો મત ‘કર્મ-કારણવાદી વર્ગનો છે. એ લોકો, કર્મ સિવાય બીજી કોઇપણ બાબતન કારણ તરીકે સ્વીકારતા જ નથી. જયારે, પુરૂષાર્થમાં માનનારા ઉદ્યમવાસીઓ, આ જગતમાં બનતા તમામ કાર્યો માટે, ઉદ્યમ શિવાયનું બીજું કોઇપણ કારણ સ્વીકારતા નથી. જૈન તત્ત્વવેત્તાઓ કહે છે, “એ પાંચ કારણો પ્રત્યેક કાર્યની પાછળ ગતિ આપે છે, guiding force છે, એ પાંચ કારણો જયાં સુધી ભેગા ન થાય, ત્યાં સુધી, સામાન્ય રીતે કશું પણ કાર્ય બનતું નથી.
આપણે “એક કારણવાદી” મનની વાત સાંભળીએ. * કાળ કેવળ કાળને જ કારણ માનનારા કહે છે કે, “દરેક વસ્તુ તેના સમયે જ ઉપજે છે અને તેના સમયે જ. નાશ પામે છે. ગર્ભમાંથી બાળક, દુધમાંથી દહીં, અનાજમાંથી રસોઇ, ‘બી'માંથી વૃક્ષ, વૃક્ષમાંથી ફળ વગેરે બધું તેના કાળે જ થાય છે. ચક્રવર્તીઓ, તીર્થકરો, અવતારો, બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા, જન્મ, મૃત્યુ વિગેરે બધા કાળના જ વિપાક છે. કાળને છોડીને કંઇપણ કાર્ય થઈ શકતું જ નથી. પ્રત્યેક કાર્ય માટે માત્ર સમય-કાળ જ જવાબદાર છે.' કાળને પોતાને પણ એ લોકો કાળનું જ કાર્ય માને છે. | સ્વભાવ અહીં ફરીથી યાદ આપવાની જરૂર છે કે આ સ્વભાવ એટલે મિસ્ટર ટોમ, ડીક કે હેરી નામધારી માણસોનો સારો નરસો સ્વભાવ નહિ, પણ પ્રત્યેક વસ્તુનો જે સ્વ+ભાવ છે, ગુણધર્મ છે, સહજ સ્વભાવ છે, તે અર્થમાં આ ‘સ્વભાવ શબ્દ વપરાયો છે. આ “સ્વભાવમાં માનનારા સ્વભાવવાદીઓ’ જગતનું કારણ સ્વભાવ જ છે એમ માને છે. તેમનું કહેવું છે કે “વળ્યા કોઈ કાળે પુત્ર પ્રસવતી નથી, હાથની હથેળીમાં, પગના તળીયે કે સ્ત્રીઓના મુખે કોઇ કાળે વાળ ઉગતા નથી; લીમડાના બીમાંથી આંબો કદી ઉગતો નથી; આંબાની ગોટલીમાંથી કેળ કે નાળિયેર પ્રગટતા નથી; મોરના પીછાં ફક્ત મોરને જ ઉગે છે; સંધ્યાના રંગ, બાવળના કાંટા, જુદા જુદા ફળ, પર્વતની સ્થિરતા, વાયુની અસ્થિરતા ઉર્ફે ચંચળતા, અગ્નિની ઉર્ધ્વતા વગેરે બધું, કાળનું નહિ, પણ સ્વભાવનું જ પરિણામ છેઅર્થાત્ સ્વભાવે જ બને છે.”
માંછલા અને તંબુડા પાણીમાં તરે છે; કાગડો અને પત્થર પાણીમાં ડૂબે છે; સુંઠ ખાવાથી વાયુનું શમન થાય છે; હરડેથી વિરેચન થાય છે; કાગડું સીઝતું નથી; અસ્થિમાંથી શંખ, ઉષ્ણતાનો સ્વભાવ ધરાવતો સૂર્ય, શીતળતાનો સ્વભાવ ધરાવતો ચંદ્ર; મોટું મીઠું કરાવતી શેરડી વગેરે બધા દ્રવ્યો પોતપોતાના સ્વ-ગુણ મુજબ,