________________
આ
૭૪
-
અનેકાંત અને સ્યાદ્વાદ પાંચ ક્ષરણ
આ જગતમાં જે કંઈ કાર્ય બને છે. તેની પાછળ કોઈને કોઈ કારણ તો હોવું જે જોઇએ, હોય છે જ. કોઈ કારણો દશ્ય હોય છે, કોઈ અદશ્ય હોય છે; કોઈ જ્ઞાત હોય છે, કોઈ અજ્ઞાત હોય છે.
સૂર્ય ઊગે છે અને આથમે છે. રાત જાય છે ને દિવસે આવે છે. માણસ જન્મે છે ને મરે છે. સુખ, દુઃખ, ગરીબી, અમીરી, તંદુરસ્તી ને બિમારી વગેરે બાબતોમાંથી લઇને તે અણુ અને હાઇડ્રોજન બોંબની ઉત્પત્તિ, અવકાશમાંના ઉડ્ડયનો, રોકેટમાંથી છોડેલા ઉપગ્રહોના પૃથ્વી તથા ચંદ્ર ફરતા ઉડ્ડયનો-પરિભ્રમણ સુધીની બધી ઘટનાઓ આપણી નજર સમક્ષ બની રહેલી આપણે જોઈએ છીએ.
આવા અનેક કાર્યો, અનાદિકાળથી આ વિશ્વમાં થતા આવ્યા છે, ને થઈ રહ્યા છે; અનંત કાળ સુધી થતા રહેશે. આમાંના કેટલાક કાર્યોના કારણે આપણને સમજાય છે; ઘણાના નથી પણ સમજાતા. પ્રજ્ઞાની પરિમિતતાને કારણે ઘણી ઘટનાઓના કારણો આપણે નથી સમજી શક્તા.' '
આમ છતાં, એ બધા કાર્યોની પાછળ, કોઈને કોઈ કારણ અવશ્ય હોય જ છે. આ વાત ઉપર આપણે બધા એકમત છીએ.
જુદા જુદા તત્ત્વવિશારદોએ આ માટે ભિન્ન ભિન્ન કારણો શોધી કાઢ્યા છે. જૈન તત્વવેત્તાઓએ આ બધા માટે પાંચ કારણો બતાવ્યા છે. આ પાંચ કારણોને અલગ અલગ રીતે સ્વીકારનારા મતો પણ છે. પરંતુ, જૈન દાર્શનિકોનું કહેવું છે કે સામાન્ય રીતે એ પાંચ કારણો જ્યાં સુધી ભેગા નથી મળતાં ત્યાં સુધી, કોઇપણ કાર્ય બનતું જ નથી; થતું જ નથી.
ચાલો ત્યારે, એ પાચ કારણોને આપણે તપાસીએ. ક્રમ અનુસાર એ પાંચે કારણો નીચે મુજબ છે :
૧. કાળ (સમય : Time) ૨. સ્વભાવ (વસ્તુનો ગુણધર્મ - Quality of Function) ૩. ભવિતવ્યતા ઉર્ફે નિયતિ. (અગમ્ય શક્તિ : Abstruse potentiality) ૪. કર્મ ઉર્ફે પ્રારબ્ધ. (નસીબ : Luck) ૫. ઉદ્યમ ઉર્ફ પુરૂષાર્થ. (પ્રયત્ન : Efforts) આ થયા એ પાંચ કારણોના નામ.
આ બાબતમાં જે ભિન્ન ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે. તેમાં કોઈ કોઈ લોકો કેવળ કાળને જ કાર્યનું કારણ માને છે. પોતાને સ્વભાવવાદી કહેડાવતા મતાગ્રહીઓ