SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ના ૬૪ મામા અનેકાંત અને સ્વાદ્વાદ પ્રમાણ સમન્વય કરીને એક સમાધાનકારક માર્ગ તમે શોધી કાઢ્યો. ના, ના, ના. જો જો એવું ઉધું સમજતા! સ્યાદ્વાદને બરાબર નહિ સમજેલા ઘણા એને “સમન્વય” અથવા સમાધાનકારક' માર્ગ, (Combination or compromising formula) કહે છે, માને છે. આ વાત ખોટી છે. પહેલાં તો એ સમજી લો કે સમન્વય, સમાન વસ્તુઓનો-ગુણોનો-થાય છે. પરસ્પર વિરોધી હોય એવી બાબતોનો સમન્વય થતો. નથી. વળી આમાં કોઈ સમાધાન પણ નથી. કોઇપણ પ્રકારની તડજોડ કરીનેં, આમથી કે તેમથી કશીક છૂટ મૂકીને ઉભો કરેલો સમાધાનનો માર્ગ આ નથી. એ તો એક સ્પષ્ટ અને કોઈ પણ જાતના ગુંચવાડા વગરની વાત છે. એથી વિશેષ, બધા જ ગુંચવાડાઓને દૂર કરવાની આ રીત છે. આ એક નિર્ભેળ સત્યનો માર્ગ છે. એમાં અયુક્ત કે અસત્ય સાથેનું સમાધાન કે સમૂહીકરણ નથી. સમાધાનમાં તો તડજોડ ને બાંધછોડ કરવી પડે છે; કંઈક જતું કરવું પડે છે. સમાધાન કદી પણ પૂર્ણ ન્યાયયુક્ત, તદન વ્યાજબી કે તર્કવાદ હોતું જ નથી. એવું જો હોત તો એને માટે “સમાધાન” શબ્દ વાપરવાને બદલે “અદલ ઈન્સાફ’ . શબ્દ વપરાયેલો હોત. એ બરાબર સમજી લો કે “સ્યાદ્વાદ' એ એક તટસ્થતાવાદનો અથવા નિષ્પક્ષતાવાદનો સિદ્ધાંત છે. સત્ય અને અસત્ય તરફ એ સમાનભાવે જોતો નથી. કોઈ એક તરફ પ્રીતિ કે કોઈ બીજા પ્રત્યે દ્વેષ પણ એ રાખતો નથી. એનો પક્ષપાતા ફક્ત નિર્ભેળ ન્યાય તરફ જ હોય છે. અસત્ય અને અન્યાયનો એ પ્રખર વિરોધી છે. સ્યાદ્વાદની દૃષ્ટિથી અસત્ય એ એકાંત છે. સત્યને તે અનેકાંત માને છે. સમન્વય કે સમાધાનમાં ન્યાયયુક્ત કે યુક્તિયુક્ત (Logical) તત્ત્વનો અભાવ હોય છે. જયારે સ્યાદ્વાદમાં તો સુતર્ક (Substancial) ભારોભાર છે. કોઈ એકના ભોગે બીજાને ખાટી જવાની વાત નથી. બીજા માટે કંઈ ભોગ આપવાનું કે જતું કરવાપણું તેમાં નથી. પેલા ગૃહસ્થની ઉદારતા બતાવવા માટે સ્યાદ્વાદી જ્યારે ‘સ્માત’ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એમની ઉદારતાના વખાણ એમની કંજુસાઈના ભોગે તે નથી કરતો. એવી જ રીતે, બીજી બાજુથી, એ સ્યાત શબ્દના પ્રયોગ સાથે એમની અનુદારતાની વાત જયારે સ્યાદ્વાદી કરશે, ત્યારે એમની ઉદારતાને અવગણીને તે નહિ કરે. એની વાતમાં રાગ, દ્વેષ કે પક્ષપાત નહિ આવે. પરંતુ, એક વસ્તુનું દર્શન જે સ્વરૂપે એ કરે છે, તેનું વર્ણન, એ વસ્તુના બીજા સ્વરૂપને સંદર્ભમાં રાખીને તે કરશે. ' એટલે, એક બીજી વાત અહીં સ્પષ્ટ થશે કે સ્યાદ્વાદ, કોઈ એક જ દૃષ્ટિબિંદુનું
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy