________________
મા દર પ
અનેકાંત અને સ્યાદ્વાદ છે. આ “સ્યા’ શબ્દનો પ્રયોગ અહીં જો ન કર્યો હોત, તો પછી, એમાંથી એટલે એ શબ્દ વિના નિષ્પન્ન થનારો નિર્ણય અનેકાંતાત્મકને બદલે એકાંતાત્મક બની જાય. પછી, આપણે પણ એ વસ્તુની બીજી કોઈ અવસ્થાનો વિચાર કરવાનું માંડી વાળીએ. એને પરિણામે, એક તરફથી આપણો નિર્ણય એકાંતાત્મક (એકાંતિક) અને ખોટો બની જાય તથા બીજી તરફથી વસ્તુની બીજી અવસ્થાઓ કે સ્વરૂપો વિષે વિશેષ જ્ઞાન મેળવવાથી આપણે વંચિત રહી જઇએ.
આથી સ્પષ્ટ સમજાશે કે આ “ચાત' શબ્દ નિરર્થક કે સંદેહવાચક નથી પણ સ્પષ્ટ, સંગીન અને નક્કર છે.
કોઇપણ વસ્તુનો નિર્ણય કરતી વખતે, દ્રવ્ય (Substance) ક્ષેત્ર (Place), કાળ (Time) અને ભાવ (Quality), એ ચાર બાબતોને આપણે લક્ષ્યમાં લેવી જ પડે છે. આપણી વિચારસરણી જો આ ચાર શરતો (Conditions) ને આધીન ન હોય તો પછી, આપણા નિર્ણયો (Conclusions) પણ, પેલી જ્ઞાનગમ્મતવાળી વાત પુરી એક અંધેરીને મૂર્ખ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા'-માં જે પરિસ્થિતિ દેખાય છે, તેના જેવી જ સ્થિતિવાળા બની જાય.
એટલે, આ “ચાત્' શબ્દ, જુદા જુદા અંતનો, અનેકાંતનો સૂચક છે અને આખાય તત્ત્વજ્ઞાનનું તે હાર્દ છે એ વાત આપણે બરાબર સમજી લેવી પડશે. એ શબ્દને આપણે જો છોડી દઈએ તો પછી, આપણી વિચારણા એક જ અંશ પુરતી, વસ્તુની એક જ અવસ્થા પુરતી, મર્યાદિત બની જાય. અનેકાંતવાદને યાદ્વાદ નામથી પણ ઓળખવામાં આવે છે એનું આ એક ખાસ કારણ છે. એ શબ્દને છોડી દઈને આપણે ચાલીએ, તો પછી, ઘોર અરણ્યમાં ભટક્યા કરનાર અંધ પ્રવાસી જેવી આપણી હાલત થઈ જાય. એમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને પછી કદી ન જડે.
સ્યા' શબ્દના પ્રયોગની સંપૂર્ણ ઉપયોગિતા હવે ખ્યાલમાં આવી ? '
જુદા જુદા ખંડો અને ઉપખંડોમાં વસતા મનુષ્યોની ચામડીના રંગનો આપણે વિચાર કરીએ. ભારતમાં ઘઉં વર્ણ, ચીનમાં પીળો, આફ્રિકામાં કાળો, યુરોપઅમેરિકામાં ગૌર વર્ણ અને અમેરિકાના મૂળ વતનીઓની ચામડીનો રંગ રાતોએમ પાંચ મુખ્ય રંગની ચામડીવાળા મનુષ્યો આ વિશ્વમાં વસે છે.
માણસની ચામડીનો રંગ કેવો છે?” આ પ્રશ્નનો જવાબ આપણે શું આપીશું? આ પાંચે રંગો મનુષ્યના જ હોવા છતાં, ક્ષેત્રભેદે પાંચ રંગો જુદા છે. આપણે જ્યારે ઘઉંવર્ણ એમ કહીશું ત્યારે ભારતમાં વસતા માણસો પુરતી એ વાત સાચી અને નિશ્ચિત છે; પરંતુ, આફ્રિકાના વતની મનુષ્યો માટે એ વાત ખોટી છે.