________________
આમ, સ્યાદ્વાદ
૫૯ કર્યો છે. જૈન તત્ત્વવેત્તાઓએ ‘ચાતુ' શબ્દને જે અર્થમાં વાપર્યો છે તે અર્થની યથાર્થ સમજણ જેમને પડી જાય છે તેમના મનમાં પછી કશો સંભ્રમ રહેતો નથી. એ શબ્દમાં જે અર્થ છે તેને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની કોઈ એક નિશ્ચિત સ્થિતિની સાથે જોડીને કરવામાં આવ્યો છે. એટલે, આ “સાતુ' શબ્દનો અર્થ “કદાચ', સંભવતઃ” કે “શંકાયુક્ત” (સંદેહ પ્રધાન) નહિ, પણ “નિશ્ચિત” એવો થાય છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ આ “સાત” શબ્દ એક નિશ્ચિત સ્થિતિ અથવા અવસ્થા સૂચવે છે. સપ્તભંગીમાં આ “ચાત્' શબ્દની સાથે - “એવ' શબ્દનો જે પ્રયોગ કરવામાં આવે છે, તે એના ચોક્કસ (નિશ્ચિત) પ્રકારનું સ્પષ્ટ સૂચન કરવા માટે જ કરવામાં આવે છે. આથી એ સ્પષ્ટ થયું કે આ “સાદૂવાદ એ કોઈ “સંભવવાદ કે “સંદેહવાદ નથી, એ એક નિશ્ચિતવાદ છે. - અહીં સ્વાભાવિક રીતે જ કોઈ એવો પ્રશ્ન કરશે કે જો આ એક નિશ્ચિતવાદ હોય, કોઈ એક પ્રકારે (કથંચિત) નિશ્ચિત સ્થિતિનું જ દર્શન કરાવતો હોય, તો પછી “સ્માત” શબ્દ લગાડવાની જરૂર જ શું હતી? એને “સ્યાદ્વાદ' ને બદલે “નિશ્ચિતવાદ' એવું નામ શા માટે ન આપ્યું?
આ પ્રશ્ન સહેતુક છે. ‘સ્યાત” શબ્દને બદલે “નિશ્ચિત’ શબ્દ કેમ ન વાપર્યો?
પરંતુ જૈન દાર્શનિકોએ રજુ કરેલા આ તત્ત્વજ્ઞાનની ખૂબી એ ચાતું' શબ્દના પ્રયોગમાં જ છે એ એક વિશિષ્ટતા છે. ચોક્કસ હેતુપૂર્વક એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપયોગ કરવા ખાતર નહિ, પણ, અત્યંત આવશ્યક હોવાથી જ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ શબ્દનો ઉપયોગ જો ન કર્યો હોય, તો, ગંજીપાના મહેલની માફક અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની આખીયે ઈમારત કકડભૂસ થઈને જમીનદોસ્ત થઈ જાય. ' ': એક નાનું સરખું દષ્ટાંત લઇએ.
ભારતના વિખ્યાત ક્રિકેટર શ્રી જશુ પટેલને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ સામેની કનપુર ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સુંદર બોલિંગ કરીને ભારતીય ટીમને વિજય અપાવવાના તેમના કાર્યથી રાજી થઈને તેમની કદર કરવા માટે ભારત સરકારે ‘પદ્મશ્રી' એવો ઈલ્કાબ આપ્યો છે. બીજા કોઈ બોલરને સરકાર તરફથી આવું માન મળ્યું નથી. સરકારના આ કાર્યથી એવો નિર્ણય જો કોઈ કરે કે “શ્રી. જશુ પટેલ, ભારતના સર્વશ્રેષ્ઠ બોલર છે તો તે નિર્ણય કેવો કહેવાય ? કાનપુરમાં તેમણે જે સુંદર બોલીંગ કરી તેવી જ શ્રેષ્ઠ બોલીંગ દરેક મેદાનમાં કરવાનું તેમના માટે કે તેમની જગ્યાએ બીજા કોઈ બોલર માટે શક્ય નથી. બીજે સ્થળે સારી બોલીંગ