________________
પર પાણી અનેમંત અને સ્યાદ્વાદ પ્રમાણ જુદો જુદો બની જાય છે. આ બધું આપણે સાચુ માનીએ જ છીએ. બધા માને છે.
આ બધું એ નિઃશંક પુરવાર કરે છે કે કોઈપણ પદાર્થમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનું અસ્તિત્વ હોય જ છે. આ વાતનો સ્વીકાર કરવામાં હવે કશી અસ્પષ્ટતા નહિ રહે, કંઇ મુશ્કેલી નહિ રહે. જૈન દાર્શનિકોએ અનેકાંતવાદનો આશ્રય લઇને આવી ઘણી વાતો સ્પષ્ટતાથી સમજાવી છે.
આધુનિક મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસોમાં ડૉક્ટર જેકિલા અને મિસ્ટર હાઇડની જેમ’ પરસ્પર વિરોધી, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતી વૃત્તિઓ હોય જ છે. એટલે, કોઇપણ સંસારી માણસને સર્વથા સારો અથવા સર્વથા ખરાબ-બ્રો-એમ કહી શકાય જ નહિ. .
એક સજ્જને પોતાના નામથી એક સાર્વજનિક દવાખાનું બાંધવા માટે દોઢ લાખ રૂપિયા આપ્યા. એમના એક ગુમાસ્તાને ઓપરેશન કરાવવા માટે જરૂરી પાંચસો રૂપિયા આપવાની તેમણે ઘસીને ના પાડી. પરિણામે જરૂરી સારવાર પેલો ગુમાસ્તો મેળવી ના શક્યો અને એનું અવસાન થયું. આ એક સાચી બનેલી વાત છે..
આ સજ્જન માટે આપણે શું કહીશું? દયાળુ? ઉદાર? નિર્દય? અધમ? જવાબ આપવાની કશી આવશ્યકતા નથી. સહેજે સમજાઈ જાય એવી વાત છે.
આવા આવા તો અનેક દૃષ્ટાંતો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં જોવા મળશે. એ બધા ઉપરથી સહેજે સમજાશે કે “એક જ વસ્તુ છે અને નથી” એમ જયારે જૈન દાર્શનિકો કહે છે તે અનેકાંત દૃષ્ટિથી કહે છે અને તે યથાર્થ છે, એમ કહેવામાં તેઓ તદન સાચા છે. આ વાતનો સ્વીકાર આપણે કરવો જ જોઇએ.
અનેકાંત દૃષ્ટિની આવી વાતો ખૂબ જ સમજવા જેવી છે. જો બરાબર સમજાઈ જાય, તો પછી જગત અને જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ બહુ જ સરળતાથી આવી જાય.
અનેકાંત દષ્ટિ રાખીને આ વાતનો વધારે વિચાર કરીશું તો, એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિયત્વ તેમજ એત્વ અને અનેકત્વ વગેરે એક જ સમયે રહે છે, એ સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે, એ બધું જોવા અને સમજવા માટે, અનેકાંતવાદનો આશ્રય લેવો પડશે. એનો આધાર જો ન લઈએ તો તે આપણને કદીપણ નહિ સમજાય.
એક અને અનેક એક સાથે એક સમયે રહે છે, તે સમજવામાં તો આજના આ વિજ્ઞાનવાદી અણુ-પરમાણુ-સંશોધન યુગમાં કશી મુશ્કેલી નહિ પડે.
વસ્તુનું નિત્યત્વ અને અનિત્યત્વ સમજવું પણ સહેલું છે. બધું જ પરિવર્તનશીલ છે; આ વાત તો સૌ કોઈ સ્વીકારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ