SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Dા ૫૦ અનેકાંત અને સ્વાહાદ કાપડમાંથી પાટલુન બનાવ્યા પછી એને જ્યારે ધોબીને ત્યાં ધોવા લઇ જઇએ છીએ ત્યારે “કાપડ ધોવાનું છે' એમ આપણે કહેતા નથી; પાટલુન ધોવાનું છે' એમ આપણે કહીએ છીએ. આવાં ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. પુત્રનું નામ પ્રવીણ પાડ્યા પછી, “પુત્ર ક્યાં ગયો’ એમ કોઇ પિતા બોલતા નથી, “પ્રવીણ ક્યાં ગયો' એમ પૂછે છે. ચામડામાંથી ચંપલ બને ત્યારે એ ચામડુ મટી જાય છે એવું નથી હોતું; છતાં આપણે “ચામડુ ક્યાં ગયું?” એમ કહેવાને બદલે “ચંપલ ક્યાં ગયા” એમ પૂછીએ છીએ. અવસ્થા - સ્વરૂપ – પલટાતાં પરિસ્થિતિ કેવી પલટાઇ જાય છે એ હવે બરાબર સમજાશે. એવી જ રીતે, એક સ્વરૂપનું અસ્તિત્વ જ્યારે રહેતું નથી ત્યારે તેનું એ નાસ્તિત્વ ન+અસ્તિત્વ પણ નિર્ભેળ રહેતું નથી. એ પણ શરતી બની જાય છે, શાકમાં કારેલાં નથી જ, ડગલામાં કે પાટલુનમાં કાપડ નથી જ, પ્રવીણમાં પુત્ર નથી જ અને ચંપલમાં ચામડું નથી જ એવું કોઈ કહી શકશે નહિ. અવસ્થા કે સ્વરૂપ પલટાતા એક સ્વરૂપ જ્યારે મુખ્યપણે આપણી નજર સમક્ષ આવે છે, ત્યારે, તેનું તે પહેલાનું સ્વરૂપ ગૌણપણે તેમાં હોય જ છે. પર્યાય (અવસ્થા) બદલાતાં અને કાળ (સમય) જતાં, પદાર્થોમાં શું શું ફેરફારો થાય છે, એ પણ આપણે જોઇ લઇએ. અન્ય દર્શનમાં જેને ‘ઉત્પત્તિ, સ્થિતિ અને લય.” એવી ત્રણ અવસ્થાઓ બતાવી છે, તેને જૈન દાર્શનિકોએ, “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય' એવી અવસ્થા ગણાવી છે. • , મૂળ દ્રવ્યો અનાદિ છે એટલે ઉત્પત્તિનો પ્રશ્ન જ રહેતો નથી, પરંતુ બીજી કોઇ અવસ્થામાંથી જે નવી અવસ્થાનું પ્રગટીકરણ થયું એને, ઉત્પત્તિને બલે ઉત્પાદ એવું નામ આપવું તે તદ્દન સતર્ક અને સયુક્તિક છે. દ્રવ્યની સ્થિતિ જે દેખાય છે તેમાંય પ્રતિપળે ફેરફાર થતો જ રહે છે. આથી એને “વ્યય' એવું નામ આપ્યું. આપણું જીવન આપણે તપાસીએ તો તે, સ્થિતિવાળું હોવા છતાં, પ્રતિપળે વપરાતું ખર્ચાતું જ રહે છે. એટલે, ‘લય’ શબ્દને બદલે ‘વ્યય' શબ્દ જો વાપરીએ તો તે તદન સુસંગત-appropriate છે. વળી બધું જ કાયમ છે એટલે લય ક્યાં થયો? જે લય દેખાય છે, તે તો અસ્તિત્વની એક અવસ્થાનું એક સ્વરૂપ માત્ર છે. ખરી રીતે તો બીજું કોઈ સ્વરૂપ ધારણ કરવા જ તે અદશ્ય બનતું હોય છે. સ્થિતિને બદલે જૈન દાર્શનિકોએ, “ધ્રૌવ્ય’ શબ્દ વાપર્યો છે. આ પણ સહજ સમજાઈ જાય તેવી વાત છે. વસ્તુની અવસ્થા જ્યારે પલટાય છે ત્યારે તેનું મૂળ-ધ્રુવ સ્વરૂપ તો તેમાં હોય જ છે. અગ્નિમાંથી જે ધુમાડો નીકળે છે તે ઉંચે આકાશમાં અદશ્ય થતો દેખાય છે; પણ તેનો નાશ થતો નથી. એ ધુમાડો ઉંચે ઉંચે આકાશમાં જઈને
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy