________________
- અનેકંતવાદ
- ૪૭ શકશે?
આ લખાણ મારા ઘરના એક ઓરડામાં બેસીને હું લખી રહ્યો છું. વિજળીની બત્તીની ચાંપ દબાવતા પ્રકાશ થાય છે. ફરીવાર વિરૂદ્ધ દિશામાં દબાવતા અંધારૂ થાય છે. ઓરડો એક જ છે. ચારે તરફથી બંધ કરેલો છે. અજવાળ થતા અંધારુ
ક્યાં ગયુ? તેમાં જ સમાઈ ગયું. અંધારૂ થતાં અજવાળું ક્યાં ગયું? તેમાં જ વિલીન થઈ ગયું. સમજાય છે?
આ વાત તો ફક્ત ઉદાહરણ માટે કરી છે. તત્ત્વદૃષ્ટિથી પણ, જૈન શાસ્ત્રકારોએ અંધકારના અને પ્રકાશનાં પુદગલોને એક જ માનેલા છે. અવસ્થાભેદે તે અંધકાર અને પ્રકાશ રૂપે બને છે. '. આનાથી એ સ્પષ્ટ થશે કે પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા આ તત્ત્વો, વાસ્તવમાં એક જ.તત્ત્વના અંતર્ગત તત્ત્વો છે. આ વાત સમજવામાં અનેકાંત દષ્ટિથી કંઇ મુશ્કેલી નહી પડે. | વેદાંતના અનુયાયીઓ આ વસ્તુનો વિરોધ કરે છે ત્યારે તો ભારે મોટું આશ્ચર્ય થાય છે. તેમના મત મુજબ પ્રથમ જે હતુ તે શુદ્ધ, વિશુદ્ધ, નિર્ભેળ બ્રહ્મ હતુ. એ બ્રહ્મ પરમ ચેતનસ્વરૂપ હતું. આ બ્રહ્મમાંથી માયાનું સર્જન થયું એમ તેઓ કહે છે. આ “બ્રહ્મટ અને “માયા એ બંને પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા તત્ત્વો છે. બ્રહ્મ, શુદ્ધ છે અને માયા, અશુદ્ધ છે. આ માયા જો બ્રહ્મમાંથી આવી તો એનો સ્પષ્ટ અર્થ એ થયો કે, આવતાં પહેલાં એ માયા બ્રહ્મમાં હતી જ અને જો હતી જ, તો "પછી, એ શુદ્ધ બ્રહ્મની અંદર જ એક અશુદ્ધ તત્ત્વ પણ હતું જ. આમ, વેદાંતની કલ્પના મુજબ, શુદ્ધ અને અશુદ્ધ એવા બે પરસ્પર વિરોધી તત્ત્વો એક સાથે જ હતા. આમછતા, આ વાતનો તેઓ સ્વીકાર કરતા નથી. જો કરે, તો પછી, “પ્રત્યેક વસ્તુ પરસ્પર-વિરોધી એવા ગુણધર્મોથી યુક્ત છે એવી જૈન તત્ત્વજ્ઞાનની વાતનો
સ્વીકાર પણ એમણે કરવો જ પડે. * જૈન દાર્શનિકો તો કહે છે, કે “બ્રહ્મ' એ જો વેદાંતના જણાવવા મુજબનું શુદ્ધ તત્ત્વ હોય, તો, અશુદ્ધ એવું “માયાનું તત્વ તેમાંથી જન્મી શકે જ નહીં એટલે કાં તો “બ્રહ્મ કેવળ શુદ્ધ સ્વરૂપ નહોતું. અથવા, ‘જો એ અશુદ્ધ સ્વરૂપ હતું તો માયા તેમાંથી જન્મી નહોતી એ બંને વાતો આપણી સમજણમાં આવી જશે. આ રીતે, બબ અને માયાના પરસ્પર સંબંધને બ્રહ્મવાદી વેદાંતીઓ જે રીતે સમજાવે છે એ વાત અયુક્ત છે એમ પુરવાર કરવામાં શુદ્ધ તર્ક અને ન્યાય છે. - અનેકાંતવાદની આ વાતને, હવે જરા સાદી સપાટી પર આપણે લાવીએ. આ ‘સપાટી', અનેકાંતવાદની નહિ પણ આપણી સમજણની છે, એટલું જરા યાદ રાખો.