________________ વજ્ઞાન છેધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રાપ 41 , આવશ્યકતા નથી. વિસ્તારથી એ બધું લખવા માટે તો હજારો પાનાં ભરાય એવો મોટો એક ગ્રંથ-મહાગ્રંથ-તૈયાર કરવો પડે, એટલે, આ બાબતમાં અહીં ફક્ત એટલો જ ઉલ્લેખ કરીશું કે કોઇને આ વિષયમાં રસ પડે તો તેઓ એનો વધુ અભ્યાસ અવશ્ય કરે; તેમને ખૂબ ખૂબ જોવાનું ને સમજવાનું મળશે, કોઈને આ બધી બાબતો ઉપર શંકા હોય અથવા તો આ વાતો ખોટી લાગતી હોય તો, એવી માન્યતા સાચી છે એવું પુરવાર કરવાની દૃષ્ટિથી પણ એમાં ઉંડા ઉતરશે, એનો અભ્યાસ કરશે તો તેમને જે તારણો Conclusions મળશે તે પોતે જ આ બાબતની સત્યતાની પ્રતીતિ કરાવશે. અહીં આ પુસ્તકમાં જે Conclusions નિર્ણયો દર્શાવવામાં આવ્યા છે તેની સત્યતા વિષે પછી કશો સંદેહ નહિ રહે. ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગેની આ વિચારણામાં અને આપણા જીવનને સફળતા પૂર્વક દોરવા માટેના આવશ્યક તત્ત્વજ્ઞાનની પસંદગીમાં હવે આપણે “અનેકાંતવાદ નામથી ઓળખાતા તત્ત્વજ્ઞાન પાસે આવીને ઉભા છીએ. તો ચાલો, આ અનેકાંતવાદને પણ થોડો વધારે સમજી લઈએ.