________________ ન ધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રસાર માટે 37 થી દેખાય છે. પણ, શું એ બધું ખરેખર સારું હોય છે? એવી રીતે અંજાઈ જઈને જ શું આપણે ખરીદી કરીએ છીએ? નહિ જ. આપણે કાપડની જાત જોઈશું, તેનો રંગ કાચો છે કે પાકો તે જોઇશું, એમાં રહેલા તાણાવાણા તરફ નજર નાંખીશું, એની સફાઈને જોઇશું, કઈ મિલમાં એ માલ બન્યો છે તે જોઇશું, એની કિંમતનો વિચાર કરીશું અને છેલ્લે, વેચનાર વ્યાપારી ભરોસાપાત્ર છે કે નહિ તેનો ય વિચાર કરીશું. આમ સાત પ્રકારના વિચારો કરીને પછી જ ક્યો માલ ખરીદવો એનો નિર્ણય આપણે કરીશું. તે વખતે આ સાત જાતના વિચારો કરી રહેલા આપણા મનને જો ખબર હોય કે એવી જ રીતે, સાત નય અને સાત ભંગ (સપ્તભંગી)નો જેમાં સમાવેશ થાય છે તે સાત જુદી જુદી રીતે વિચાર કરવાની સમજણ આપતી પદ્ધતિવાળું એક તત્ત્વજ્ઞાન પણ આ જગતમાં મોજુદ છે; તો આપણને કેટલો બધો આનંદ થાય? આવા એક વિશિષ્ટ તત્ત્વજ્ઞાનની ભેટ જગતને, જૈન દાર્શનિકોએ આપેલી છે. એને તેઓ અનેકાંતવાદ નામથી ઓળખાવે છે. એક સાધારણ બજારૂ ખરીદીને લગતી બાબતમાં આપણને સૌને એટલી સમજણ તો છે જ કે કોઈ એક જ બાબતનો - ઉદાહરણ તરીકે ભભકાનો - વિચાર કરીને આપણે કાપડની ખરીદી કરી આવીએ તો તેમાં આપણે અવશ્ય છેતરાવાના આવો જ વિચાર આપણે તત્ત્વજ્ઞાન વિષે પણ કરીએ એ શું આવશ્યક નથી ? જેના ઉપર આપણા જીવનનો, જીવનના વિકાસનો, જિંદગીના સુખ અને સંતોષનો આધાર છે, એ તત્ત્વજ્ઞાનની પસંદગીમાં આપણે ગાલ કેમ રહી શકીએ? ભારતમાં પૂર્વના દેશોમાં તથા પશ્ચિમના દેશોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગે જે પરિસ્થિતિ આજે પ્રવર્તે છે, તે તો હવે સુવિદિત છે. પશ્ચિમના દેશો ભૌતિકવાદી છે. ભૌતિક સુખોની અને ભૌતિક વિકાસની જ ખેવનાવાળા છે. એમની પાસે એમના પયગંબરોએ બતાવેલો ધર્મ છે, અને એમણે એમનું એક તત્ત્વજ્ઞાન પણ પેદા કર્યું છે. પરંતુ, એ બધુંએ, ભૌતિક અને દુન્યવી સુખોની આસપાસ જ કરે છે. એમના બધા જ આચરણ, મુખ્યત્વે, ઐહિક સુખોને અનુલક્ષીને જ થતાં હોય છે. તત્ત્વજ્ઞાન તરફ એમાંના કોઈ કોઈ આકર્ષાય છે ખરા. પરંતુ, એની પાછળ મોટે ભાગે કેવળ કુતુહલની જ દષ્ટિ હોય છે. એ લોકો “જાણવા માટે એનો અભ્યાસ કરે છે, આચરવા માટે જવલ્લે જ. આત્મવિકાસ માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા તત્ત્વજ્ઞાનનું સંશોધન કરવાનું પશ્ચિમમાં કોને ખાસ સૂઝયું જ નથી એમ કહીએ તો ચાલે. મહદંશે એ વાત સાચી જ ઠરશે. એનું મુખ્ય કારણ એ છે કે એમને