SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય ક્રિયાકાંડ એવો થતો નથી. એનો અર્થ છે ‘પ્રવૃત્તિ અથવા “પુરૂષાર્થ. આમાં બે પ્રકારની ક્રિયાઓ તેમણે બતાવી છે. એકને ‘દ્રવ્યક્રિયા' કહે છે અને બીજી ‘ભાવક્રિયા' કહે છે. આ બંને ક્રિયાઓ એક બીજાથી સ્વતંત્ર નથી પણ પરસ્પરની પૂરક છે. 21. આ ક્રિયાનો પાયો “અહીંસા ઉપર રચાયેલો છે. અહિંસા શબ્દનો અર્થ ઘણો જ વિશાળ છે અહિંસાને એટલું બધું અને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ધર્મની એક મહત્ત્વની વ્યાખ્યા માટે “હિંસા પરમો ધર્મ' (અહિંસા એ પરમ ધર્મ છે, એમ કહેવામાં આવ્યું છે. * 22. સંસારમાં જન્મતાં, મૃત્યુ પામતા અને ફરી ફરી જન્મમરણના ફેરામાં અટવાયેલા આત્માની તમામ પ્રવૃત્તિઓનું ધ્યેય “મોક્ષ માર્ગ પ્રતિ પ્રગતિ કરવી એવું હોવું જોઈએ એમ જૈન તત્ત્વવેત્તાઓ ભારપૂર્વક કહે છે. અધર્માચરણ દ્વારા અવગતિ થાય છે અને ધર્માચરણદ્વારા ઉન્નતિ થાય છે એ વાત તો સારા સંસારને સુવિદિત છે. આત્માની ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિના હેતુથી જીવ માત્ર માટે જે ધર્માચરણો-ધર્મો બતાવ્યા છે તેને જૈન શાસ્ત્રકારોએ બે વિભાગમાં વહેંચ્યા છે. 1. સર્વવિરતિ - સાધુધર્મ, 2. દેશવિરતિ - ગૃહસ્થ ધર્મ. આ બંને પ્રકારના આચરણમાર્ગોને જૈન તત્ત્વ વિશારદોએ બહુ જ ઝીણવટથી બતાવેલા છે. “ગૃહસ્થ માટે જૈન ધર્મમાં “શ્રાવક' એવો શબ્દ વપરાયો છે. આ બંને ધર્મનું પોતપોતાનું વિશિષ્ઠ સ્થાન અને મહત્ત્વ છે. . 23. “નમસ્કાર મહામંત્ર’ નામથી ઓળખાતા એક મંત્રની આરાધના સમગ્ર જૈન સંઘ અત્યંત ભાવપૂર્વક કરે છે, સકળ શાસ્ત્રોના સારરૂપ મનાતો આ મહામંત્ર ભક્તિ, સાધના અને આત્મ વિકાસમાં અચિંત્ય પરિણામો પ્રગટ કરવાની શક્તિ ધરાવે છે. - જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મની ખાસ ખાસ અને મહત્ત્વની બાબતોનું એક નાનું સરખું સૂચિપત્ર ઉપર આપ્યું છે. આટલો સંક્ષિપ્ત પરિચય મેળવીને હવે આપણે આગળ ઉપર જે જોઇએ તથા વિચારીશું તેને સમજવામાં ઘણી સરળતા મળશે. જીવનના તમામ ક્ષેત્રોમાં, નાના મોટા તમામ પ્રશ્નોમાં આપણને સાચી સમજણ આપે તેવી રીત અથવા પદ્ધતિ, જેને આપણે “સ્યાદ્વાદ પદ્ધતિ” એવું નામ આપ્યું છે. તેની વિચારણા કરતાં પહેલાં, હવે, ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષે પણ થોડુંક વિચારી લઇશું તો એ પદ્ધતિને સમજવામાં આપણે ઘણી સહાયતા મળશે. ચાલો ત્યારે, આપણે હવે “ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષે સામાન્ય સમજણ મેળવી લઇએ.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy