________________ 3 34 ST અનેવંત અને સ્યાદ્વાદ. SS - ધર્મ અને તત્ત્વજ્ઞાન ધર્મ શું છે? તત્ત્વજ્ઞાન શું છે? આ બે વચ્ચે ભેદ કંઈ છે? હોય, તો શું છે? આ બંનેની ઉત્પત્તિ ક્યાંથી થઈ ? ક્યારથી થઈ ? એ બંનેની, માનવજાત ઉપર અસર કેવી અને કેટલી? આ બંનેની વચ્ચે શો સંબંધ છે? બંને પરસ્પર આધાર રાખે છે? કે બંને સ્વતંત્ર છે?” ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે આપણે વિચાર કરવા બેસીશું તો, ઉપર જણાવ્યા એ બધા પ્રશ્નો આપણા મનમાં ઉઠવાના જ. સૌથી પહેલાં આપણે એની એક સામાન્ય વ્યાખ્યા કરી લઇએ. " ધર્મ, આચાર બતાવે છે. અને તત્ત્વજ્ઞાન વિચાર સાથે સંબંધ ધરાવે છે. આમ છતાં, એ બંને પરસ્પર સંકળાયેલાં છે. એ બંનેનું મહત્ત્વ એકસરખું છે.”. . ધર્મ અને તત્ત્વજ્ઞાનની આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કરી આપણે હવે આગળ વધીએ.એક વાત તો સૌ કબૂલ કરશે કે સારા વિચાર વિના સારો આચાર (વર્તન અથવા આચરણ) શક્ય નથી. એવી જ રીતે, સારા આચરણ વગર સારા વિચારો આવવાનું પણ સંભવિત નથી. આમાં સૌથી પ્રથમ આપણે “વર્તનનો વિચાર કરીશું, માણસનું વર્તન હંમેશાં જ કોઈ વિચાર દ્વારા પ્રેરાયેલું હોતું નથી. એ ઘણી વખત Instincive એટલે કોઈ વૃત્તિથી પ્રેરાઇને અને Impulsive એટલે કોઇક ઉશ્કેરાટથી પ્રેરાઈને, કંઇકને કંઇક આચરણ કરી બેસે છે. વિચાર કરવાની ટેવ જે માણસને નથી હોતી એવો માણસ વળી ઘણીવાર, જેને “વગર વિચાર્યું કહે છે તેવાં કામ કરી બેસે છે, એ કામનું જો ધાર્યું અગર શુભ પરિણામ આવે, તો પછી પોતાના એ કામ માટે વિચાર કરવાની એને જરૂર નથી પડતી. પરંતુ, જો વિપરીત પરિણામ આવે, પસ્તાવાનો ને દુઃખી થવાનો પ્રસંગ તેમાંથી આવે, ત્યારે મોટે ભાગે તે પોતાની વિચારશક્તિને કામે લગાડે છે. આમાંથી નિષ્પન્ન એ થયું કે ધાર્યું અગર શુભ પરિણામ લાવવા માટેના કોઇપણ આચરણ માટે વિચાર-પૂર્વ વિચારની-આવશ્યક્તા માણસને સમજાય છે. આવું જ સારાં આચરણ રાખનાર માણસ માટે પણ આવશ્યક બને છે, કેમ કે, સદ્વર્તન ચલાવનાર માણસના વિચારો જો સારા નથી હોતા તો કાળબળે સારા વર્તનમાંથી તે પણ ગબડી પડે છે અને દુરાચારી બની જાય છે. બીજી તરફ એક એવા માણસની કલ્પના કરો, જે નિરંતર શુભ વિચારો જ કરતો હોવા છતાં, વાસનાઓની પકડમાંથી છૂટવાની એની અશક્તિના કારણે, વર્તન