________________
૩૨ 22 અનેકાંત અને સ્યાદ્વાદશ
૨. નાસ્તિ ઃ એટલે, ‘નથી.’
૩. અસ્તિનાસ્તિ : એટલે, ‘છે અને નથી.’
૪. અવકતવ્યમ્ ઃ એટલે, ‘(શબ્દોથી) વર્ણન કરી શકાય તેમ નથી.
૫. અસ્તિ અવકતવ્યમ્ : એટલે, ‘છે પણ અવર્ણનીય છે.’
૬. નાસ્તિ અવક્તવ્યમ્ ઃ એટલે, ‘નથી પણ અવર્ણનીય છે.’
:
૭. અસ્તિનાસ્તિ અવક્તવ્યમ્ ઃ એટલે, ‘છે અને નથી પણ. અવર્ણનીય છે.’ આ ઉપર જણાવેલાં સાત પદોમાં ‘સ્યાત્’ અને ‘એવ’ એવા બે શબ્દો દરેકની આગળ લાગેછે. આ બે શબ્દોનો અર્થ ‘(સ્યાત્) એક ચોક્કસ પ્રકારે (એવ) નિશ્ચિત’ એવો થાય છે. આને માટે એક ખાસ પ્રકરણ હવે પછીનાં પાનાંઓમાં યોગ્ય સ્થાને આવશે. અહીં તો એટલું સમજી રાખવાનું કે આમાં કશો ગોટાળો કે અસ્પષ્ટતા નથી. એ દરેકનો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ થાય છે.
૧૭. વેદાંત અને બીજા દર્શનોમાં આ વિશ્વરચનાને ‘ઉત્પત્તિ, સ્થિતિ અને લય’ એવા સ્વતંત્ર ત્રણ વિભાગમાં વહેંચી છે. એને બદલે જૈન દાર્શનિકોએ ‘ઉત્પાદ; વ્યય અને ધ્રૌવ્ય’ એવી ત્રણ પરસ્પર સંમિલિત અવસ્થાઓ બતાવી છે. એની સમજણ આપણે હવે પછી મેળવીશું.
૧૮. જીવ ઊર્ફે આત્માને જૈન દર્શને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપેલું છે. પ્રત્યેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અનાદિ કાળથી હતું અને અનંત કાળ સુધી રહેવાનું છે. પરંતુ, એ આત્મા જ્યારે તમામ પ્રકારનાં કર્મોથી મુક્ત થશે ત્યારે મોક્ષ પામશે. એટલે ત્યાં-મોક્ષમાં પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ તો રહેવાનું જ છે એમ માન્યું છે. એ અસ્તિત્વ નિર્મળ, નિર્ભેળ, જ્ઞાનસ્વરૂપ અને પુનર્જન્મથી મુક્ત એવું માન્યું છે.
૧૯. જગતની વિધાયક શક્તિઓમાં, જૈન તત્ત્વજ્ઞાને, કર્મશક્તિને પ્રધાન માની છે. એની સામે એક આત્મશક્તિ છે; પરંતુ, સંસારમાં રહેલા આત્માઓ સ્વસ્વરૂપે શુદ્ધ હોવા છતાં, કર્મથી બંધાયેલા હોવાથી અશુદ્ધ છે એમ માન્યું છે. આ એ આત્મશક્તિ અને કર્મશક્તિ વચ્ચે અનાદિકાળથી જે સંઘર્ષ ચાલ્યો આવે છે, સંઘર્ષમાં આત્માની તમામ પ્રવૃત્તિનું ધ્યેય કર્મશક્તિના પ્રાબલ્યને તોડીને એટલે કે એને વળગેલાં કર્મનાં તમામ પુદ્ગલોને ખંખેરી નાંખીને પોતાના મૂળ અને શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું છે.
૨૦. આ ઉપર જે જણાવ્યું તે ધ્યેયની સિદ્ધિ અર્થે જૈન તત્ત્વજ્ઞાને આંપેલું
સૂત્ર છે :
જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । આ વાક્યનો અર્થ થાય છે. ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા મોક્ષ. આ એક અનુપમ અને અદ્વિતીય સૂત્ર છે. અહીં ક્રિયા શબ્દનો અર્થ કેવળ