________________
મન પરિચય
પરિચય
પાછળનાં પાનાંઓમાં તટસ્થભાવ ધારણ કરવાની જે વાત કહેવામાં આવી છે, તે મુજબ, તટસ્થભાવમાં તમે આવી ગયા છો, એમ હવે માની લઈએ છીએ. ત્યારે હવે, આપણે સમજવું શું છે, એ નક્કી કરી લઇએ. ચાલો, એક પ્રશ્ન પૂછીએ : “એવી કોઈ રીત કે પદ્ધતિ આ દુનિયામાં હયાત છે, જેનો આશ્રય લઈને, જગતના . નાના મોટાં તમામ ક્ષેત્રોમાં અને પ્રશ્નોમાં, માણસની સમજણ, માણસનું જ્ઞાન, પૂર્ણ સત્ય શોધી અને સાધી શકે?”
આ પ્રશ્નનો જવાબ, જૈન દર્શનિકોએ ‘હા’માં આપ્યો છે. તેમનો એવો દાવો છે કે સર્વજ્ઞ ભગવંતોએ, આ સમજણ મેળવવા માટે જે માર્ગદર્શન આપ્યું છે, તે, અપૂર્વ છે, અદૂભૂત છે, પૂર્ણ છે.
હવે, આ જો બરાબર સમજવું હોય, તો, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને લગતી મુખ્ય મુખ્ય બાબતોનું એક સૂચિપત્ર આપણે જોઈ લેવું પડશે. મહત્ત્વની બાબતો ઉપર એક ઉડતી નજર નાંખીને એનો પરિચય આપણે પ્રાપ્ત કરી લેવો પડશે. કેમ કે, જે રીત, જે પદ્ધતિ, જે ગણિત આપણે જોવાનું અને સમજવાનું છે, તેનું જે મૂળ છે, એના પાયાના જે સિદ્ધાંતો અને આચારો છે, તેનો સંક્ષિપ્ત પરિચય કરી લેવાથી, એ (તત્ત્વજ્ઞાન) સમજવામાં આપણને ઘણી સુગમતા પ્રાપ્ત થશે. - ચાલો ત્યારે, એ પરિચય આપણે મેળવી લઈએ.
૧. “જૈન” શબ્દનો અર્થ જિનના અનુયાયીઓ. “જિન” એટલે મન, વાણી અને શરીર ઉપર જીત (વિજયો મેળવીને જેમણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું હોય તે. તીર્થકર' એટલે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેના તીર્થ (સમૂહ ઉર્ફે સંઘ)ની જેમણે સ્થાપના કરી હોય તે. “તીર્થકર માટે અહતુ, અરિહંત, સર્વજ્ઞ કે કેવળજ્ઞાની એવા બીજાં નામો પણ છે. પોતાનાં તમામ પાપોનો ક્ષય કરીને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરતાં પહેલાં, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સધર્મની જગતને જેઓ પિછાણ આપે છે તેઓ “જિન ભગવાનના નામથી ઓળખાય છે અને એમના બતાવેલા માર્ગને અનુસરનારાઓ “જૈન” નામથી ઓળખાય છે.
૨. “જૈન” શબ્દ કોઇ જ્ઞાતિ કે કોમનો સૂચક નથી. એ “ધર્મનો સૂચક છે. જૈનધર્મનું પાલન કરવા માટે કોઈ પણ કોમ કે જ્ઞાતિ માટે ભેદ રાખવામાં આવ્યો નથી. જૈનધર્મના આચારોનું પાલન કરનાર અને એના સિદ્ધાંતોમાં માનનાર કોઇપણ વ્યક્તિ, પછી તે ગમે તે કોમ યા જ્ઞાતિની હોય યા ગમે તે દેશની વાત હોય, “જૈન” નામથી ઓળખાય છે.