SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ૨૪ મરામત અનેકંત અને સ્યાદ્વાદ , અનુભવ કરવા માટે પણ એક તક એમને આપવામાં શો વાંધો છે? ખરું જોતાં, એ તક એમને આપવાની નથી પણ આપણે લેવાની છે, એ તક એમને આપવાથી લાભ આપણને જ થવાનો છે, એમને નહિ. એટલે, આપણા લાભની આ વાત છે. આમ છતાં, હાલ તુરત, એક તક એમને આપવી છે એમ માનીને ચાલશું તો પણ કશી હરકત નથી. જૈન તત્ત્વવેત્તાઓ આપણો આભાર અવશ્ય માનશે. જૈન તત્ત્વજ્ઞાનીઓને એટલી ખાત્રી, એટલે વિશ્વાસ છે જ કે એક વખત આ સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન વિષે સમજણ મેળવવાની જિજ્ઞાસાવૃત્તિ જેમનામાં જાગૃત થશે, તેમની સમક્ષ, એ તત્ત્વજ્ઞાનનું સૌંદર્ય અને એની સૌરભ, આપમેળે, સ્વ-બળે, પ્રત્યક્ષ થશે જ. આ સમજવા માટે, પૂર્ણપણે અનુભવવા માટે, જે અવગુણો અને દોષોનો ત્યાગ કરવાનું અગાઉ કહેવામાં આવ્યું છે, તે બધું આજે અને અત્યારે જ છોડી દો એવો આગ્રહ કોઇ અત્યારે કરતું નથી. કેમ કે, એક વખત એ તત્ત્વવિજ્ઞાનની સમજણ આવવા માંડશે કે તુરત જ બધા અવગુણો અને દોષો સ્વયં નાસી છૂટવા માટે ગાંસડાં પોટલાં બાંધવાની તૈયારીમાં પડશે એવી શ્રદ્ધા એ તત્ત્વજ્ઞાનના ઉપદેશકોમાં છે. આ આમ છતાં, આ તત્ત્વજ્ઞાનનો જો લાભ ઉઠાવવો હોય, એ માટે તેને બરાબર સમજવું હોય તો એક નાની સરખી શરતનું પાલન આપણે કરવું જ પડશે. આ શરત તટસ્થભાવની છે. જે કંઈ કહેવામાં આવે તેને તટસ્થવૃત્તિથી પુરેપુરું સમજવાની કોશિષ તમે કરજો. એને, અડધે રસ્તે, કે થોડુંક ચાલીને છોડી દેશો નહિ. આટલી અપેક્ષા રાખીને હવે આપણી વાતને આપણે આગળ ચલાવીશું. આ
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy