________________
Sા ૨૦ મ
અનેમંત અને સ્યાદ્વાદ , બધાય ઝઘડાઓની પાછળ ઉભેલું જ હોય છે.
રાજકારણનો વિષય આપણે ચર્ચતા નથી એટલે એ વિષયમાં આપણે અહીં ઊંડા નહી ઉતરીએ. સત્તાનો લોભ, આંધળા સ્વાર્થમાં સમાઈ જાય છે. આસુરી શક્તિ, વિનાશના અભૂતપૂર્વ સાધનોનું અસ્તિત્વ વિગેરે બધાં કારણોની પાછળ સ્વાર્થવૃત્તિ અને અહંભાવ તો ઉભેલાં હોય જ છે.
ઘણી જાતની ચર્ચાઓ, આજે, વગર લેવાદેવાએ પણ ઘણા લોકો કરતા હોય છે. કોઈ કોઈ લોકો કોઈ પ્રકારના નિશ્ચિતઅભિપ્રાયો લઈને, પૂર્વગ્રહ બાંધીને આવતા હોય છે. આવું બધું કોઇ એક જ ક્ષેત્રમાં બને છે એવું પણ નથી. | સામાજિક, આર્થિક, રાજકારણીય, નૈતિક, કેળવણી વિષયક, આધિભૌતિક, ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. કોઈ વારસાગત અભિપ્રાયો ધરાવતા હોય છે, કોઈ વળી બાબાવાક્ય પ્રમાણુવાળા હોય છે, તો વળી કોઈ કોઈ લોકો, “હમ ભી કુછ હૈની અહંભાવજનિત વૃત્તિઓ લઈને કૂદાકૂદ કરી રહ્યા હોય છે.
આમાં ઘણા ઠેકાણે, પેલો “તર્ક જે છે, તે ઘોડાને બદલે ગાડી બનીને પણ આવે છે. સામાન્ય રીતે માણસ, તર્કને આગળ રાખીને કામ કરતા હોય છે. અહીં, તર્ક, “ઘોડાનું કામ કરે છે. પોતે આગળ રહીને વિચારને તથા કાર્યને દોરે છે. '
કોઈ કોઈ ઠેકાણે માણસો વગર વિચાર્યું, ધૂનથી, સ્વાર્થ અગર વાસનાથી પ્રેરાઈને કંઈક કામ કરી બેસે છે. પછી, પોતે જે કર્યું તેને વ્યાજબી ઠરાવવા, તેને માટે દલીલો શોધી કાઢે છે. અહીં નિર્ણય અથવા કાર્ય પ્રથમ થાય છે અને તર્ક પાછળથી આવે છે. આવા કિસ્સાઓમાં તર્ક, “ઘોડો’ નહિ “ગાડી' બનીને આવે છે. ઘોડાની આગળ ગાડી રાખવાથી ગાડી જેમ ચાલતી નથી, તેવી જ રીતે આ રીતે પાછળથી ઉપયોગમાં લેવામાં આવતો ‘તર્ક એ તર્ક નહિ પણ સ્વાર્થપરાયણ દલીલબાજી જ માત્ર હોય છે.
ક્યારેક એવું જોવા ને અનુભવવા મળે છે કે બે માણસો આપસમાં કંઈ ચર્ચા કરતા હોય છે, સામસામા દલીલો કરતા હોય છે, ત્યારે કાન બંધ કરીને જ બેઠેલા હોય છે. એક માણસ દલીલ કરી રહ્યો હોય, ત્યારે એ સાંભળવાને બદલે બીજો માણસ પોતાના મનમાં પોતાના અભિપ્રાયના સમર્થન માટેની નવી દલીલો શોધતો હોય છે. આવી જાતની ચર્ચા દરમિયાન ઘણી અપ્રસ્તુત તથા મર્કટની જેમ કૂદાકૂદવાળી વાતોનો ત્યાં ઢગલો થઈ જાય છે.
સત્ય શોધવાનો ને મેળવવાનો આ માર્ગ નથી, એટલું તો સહેલાઇથી સમજાઈ જશે. તો પછી, સત્યને શોધવું ક્યાં? કેવી રીતે?