________________
૧૯
નિક ભૂમિકા
છે. આ બધા જાતજાતને ભાતભાતના ઝઘડાઓની પાછળ કારણો તો ઘણા પ્રકારનાં હોય છે. પરંતુ, આપણે વિશ્લેષણ કરીશું તો મુખ્ય મુખ્ય કારણો નીચે મુજબનાં જોવા મળશે.
“અજ્ઞાન, ખોટું જ્ઞાન (ગેરસમજણ), પૂર્વગ્રહ, અહંભાવ, મમત્વ, આંધળો સ્વાર્થ, વિવેકશૂન્યતા, વાસનાઓની ગુલામી અને અસહિષ્ણુતા વિગેરે કારણો ઝઘડાઓના મૂળમાં હોય છે.
પરંતુ, મોટામાં મોટા કમનસીબી એ છે, કે, આ કારણોમાંના થોડા, બધા અથવા કોઇ એક કારણ પોતાનામાં છે, એવું કબુલ કરવા કોઇ તૈયાર થતું નથી. કબુલાત તો દૂર રહી, એ વિષે વિચાર કરવાની ભાવના કે ઇચ્છા પણ કોઇનામાં જવલ્લે જ પ્રગટે છે.
પોતાને વિષે બીજા લોકો ગેરસમજણ ધરાવે છે, એવી વાત તો ઠેકઠેકાણે સાંભળવા મળશે. પરંતુ, એવી વાત કરનાર પોતે, બીજા લોકો માટે એવી જ કશીક ગેરસમજણ ધરાવે છે; એવું કહેવા માનવા કે એ વિષે વિચાર કરવા કેટલા જણ તૈયાર થશે?
મિત્રો વચ્ચે, વ્યાપારી સંબંધો અંગે, પતિ-પત્નિ વચ્ચે, ભાઇ-ભાઇ વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, દિયર-ભોજાઇ, નણંદ-ભોજાઇ અને આડોશી-પાડોશી વચ્ચેના સંબંધોમાં વૈમનસ્ય, ક્લેશ, કંકાસ અને ઝઘડાઓ જોવા · માટે ક્યાં દૂર જવું પડે તેમ છે?
સાચી વાતનું અજ્ઞાન, ખોટી સમજણ એટલે અજ્ઞાન; પહેલેથી બાંધી લીધેલા અભિપ્રાયો એટલે પૂર્વગ્રહઃ હું બીજા બધા કરતાં નિરાળો અને શ્રેષ્ઠ છું એવો અહંભાવ; તુચ્છ સ્વાર્થ; વિચા૨ ક૨વા માટેના શુદ્ધ અને શાસ્ત્રીય તર્ક વિષેની સમજણનો અભાવ તથા એમાંથી પ્રગટતી વિવેકશૂન્યતા; ઇંદ્રિયોની વાસનાઓને • કબજે રાખવાની લાચાર અશક્તિ; જરા પણ નમતું નહિ મૂકવાની ટેવ તથા એમાંથી જન્મેલી કશુંય પણ જતું નહિ કરવાની અસહિષ્ણુતા; એ બધામાં માનવસમાજ આજે ડૂબી ગએલો, ખોવાઇ ગએલો દેખાય છે.
દેશ-દેશ વચ્ચે પણ ઝઘડાઓ કેટલી જાતના છે? પહેલાં, જર, જમીન અને જોરૂ એ ત્રણને કજીયાનાં છોરૂ માનવામાં આવતાં હતાં. હવે રંગદ્વેષ (colour prejudice) અને વિચારસરણીઓ-આદર્શો-(Ideological conflicts)ને અંગેના ઝઘડાઓ વધ્યા છે, ઉમેરાયા છે. એમાંનું કોઇને કોઇ કારણ ઉભું થતાં ખતરનાક ઝઘડાઓ જામી પડેછે. આમ, આપણે જોઇશું તો જણાશે કે ઉપર જે કારણો બતાવ્યાં છે એમાંનું કોઇને કોઇ કારણ એકલું, અથવા બીજાં કારણો સાથે મળીને, આ