________________
ને પ્રાથમિક
માહિતી . ૧૭ : દુરબીન છે. છે આ ચાર જણ જ્યારે ક્ષિતિજ તરફ દૃષ્ટિ નાંખશે ત્યારે એ બધાની દશ્યમર્યાદા શું એક જ લીટીમાં આવશે? બધાને શું એક સરખું દેખાશે?
તે વખતે, તેઓ જે જોઈ રહ્યા હોય એનું વર્ણન કરવાનું એમને આપણે કહીશું તો ચારે જણ પાસેથી જુદું જુદું સાંભળવા મળશે. - આ તર્ક Logicનું પણ એવું જ છે. એનો ઉપયોગ કરનાર અને કરાવનાર વિભિન્ન માણસોની સમજણ, બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને શક્તિની છાયા એક યા બીજા પ્રકારે એમાં પડ્યા વિના રહેશે જ નહિ, એમાં અશુદ્ધિ આવવાની જ.
તોં પછી, શુદ્ધ તર્ક કોને કહેવો?
આ તર્કની ચર્ચા, અહીં આપણે હજુ દુનિયાદારીની અને મનુષ્યની બુદ્ધિની અપેક્ષાએ જ કરી રહ્યા છીએ. તત્ત્વજ્ઞાનના તર્ક સુધી હજુ આપણે આવ્યા નથી. ત્યાં પહોંચવા માટે થોડી ધીરજ રાખવી પડશે.