SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ માં ૧૪ માતા અનેમંત અને સ્વાદ્વાદ , ગયો એમ માનીને તે પદ્માસન છોડી નાંખે છે. કોઇની માનસિક શક્તિ, યોગ બળે વધતાં, કંઈક ચમત્કાર કરતી થઈ જાય એટલે હવે સંશોધનનો છેડો આવી ગયો એમ સમજીને તે નાચવા લાગી જાય છે. Hero worship-વીર પૂજા-એ મનુષ્ય સ્વભાવની એક સહજ ખાસિયત છે. કોઈપણ વ્યક્તિ કંઈક નવું કરી બતાવે, કશુંક ચમત્કારિક જેવું લાગતું કાર્ય કરી બતાવે, કશીક સિદ્ધિઓનું પ્રદર્શન કરે એટલે, અનુયાયીઓનું મોટું ટોળું એની આસપાસ ઝપાટાબંધ ભેગું થઈ જાય છે. મનુષ્યસ્વભાવની બીજી એક ખાસિયતઅતિશયોક્તિ કરવાની છે. જોયેલી તથા જાણેલી વાતને મોટું સ્વરૂપ આપવાની અને સાંભળેલી વાતને પોતે જાતે જોઇ હોય એવી રીતે વિસ્તારીને કહેવાની, માણસની ટેવ અનાદિકાળની છે. એ વૃત્તિની પાછળ, પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની અહંભાવજન્ય ઇચ્છા રહેલી હોય છે. કેવળ ભૌતિક સુખ માટે ઝંખતો માનવી, આવા કોઈને કોઈ અવધૂતોની પાછળ લાગેલો જ રહે છે. સિદ્ધ મનાતા પુરૂષની પાછળને આગળ, સારો એવો સમુદાય એકત્ર થઈ જાય છે. એ સમુદાય, પેલા સિદ્ધ પુરૂષની ભક્તિ, જે.કેવળ ખુશામતનું જ એક સ્વરૂપ હોય છે તે, કરવા લાગી જાય છે. એ ખુશામત જોઈને પેલો સિદ્ધ મનાતો પુરૂષ, “હવે પોતાનો વિકાસ પૂર્ણ થઈ ગયો તથા કશું કરવાનું બાકી રહ્યું નથી.' એમ માનતો થઈ જાય છે. અસીમ બુદ્ધિશાળીઓ, મહાન યોગીઓ અને વૈજ્ઞાનિકોનું પણ જયાં આવું જ બને છે, ત્યાં સામાન્ય જનસમુદાયની તો વાત શું કરવી? આપણા દેશમાં, આધ્યાત્મિક બાબતો અંગે, બે વિભાગો આજે દષ્ટિગોચર, થાય છે. એક વર્ગ, “જન્મજાત શ્રદ્ધાને પરંપરાથી વળગીને, આગળથી જે ચાલતું આવ્યું હોય છે તેને ચોંટી રહ્યો છે. બીજો વર્ગ બુદ્ધિશાળી અને આધુનિક કેળવણી પામેલા લોકોનો છે. વિશ્લેષણ કરીશું તો આ બંને વર્ગમાં કોઈ મોટો તફાવત નહિ દેખાય. જન્મજાત શ્રદ્ધાવાળા વર્ગમાં જેમ અનેક મતમતાંતરો છે, તેમ, આ કેળવાયેલા અને બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં પણ એટલા જ આગ્રહી અને ઝનુની મતમતાંતરો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણ મહર્ષિ, શ્રી અરવિંદ ઘોષ, નિત્યાનંદ સ્વામી, સ્વામી રામદાસ અને એવા બીજા અનેક મહાપુરૂષોના કેળવાયેલા - અનુયાયીઓને અલગ અલગ રીતે મળતાં, એ દરેક મતવાળા, “સત્ય એમના એકલાના જ ખિસ્સામાં છે, બીજે ક્યાંય નથી એવી વાત ખૂબ જ કટ્ટરતાથી અને ચુસ્તપણે માનતા દેખાય છે. એ લોકો એવું માને છે એટલું જ બસ નથી, “બીજા
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy