________________
મામ પ્રાથમિક
મમમમમ ૧૩ . વિચારધારાઓ આપણને જોવા મળે છે. જયાં સુધી જગતનું અસ્તિત્વ છે, ત્યાં સુધી મતભેદો રહેવાના જ. અનાદિકાલથી આ મતભેદો ચાલતા આવ્યા છે, અનંતકાળ સુધી આ મતમતાંતરો રહેવાના જ. વિશ્વનું અસ્તિત્વ વિસંવાદને કારણે જ ગતિશીલ રહ્યું છે. જો સંવાદ' સ્થપાઈ જાય તો ગતિ અટકી જાય. આ વિશ્વમાં જીવવાની જે મજા છે તે મતભેદોને કારણે જ મળે છે. મતભેદોને શમાવવાનો જે પ્રબળ પુરુષાર્થ અનાદિકાળથી મહાપુરુષોના હાથે ખેડાતો આવ્યો છે, એ વાત એક મોટામાં મોટા ગૌરવની જનેતા છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે મતભેદો ઓછા થવાને બદલે વધતા જ ચાલ્યા છે.
પરંતુ, તેથી નિરાશ થઈ જવાની કશી જરૂર નથી. એ મતભેદો અને મતમતાંતરો જેમ અનાદિઅનંત છે, તેમ, તે સાથે જ, “સાચું શું છે?” એ જાણવાની માનવીની જિજ્ઞાસા પણ અનાદિ અનંત છે. જે જિજ્ઞાસા, મનુષ્ય જાતમાં અનાદિકાળથી સચવાતી આવી છે અને અનંતકાળ સુધી જીવંત રહેવાની છે. સત્યશોધનની એ જિજ્ઞાસા મનુષ્યના મનમાંથી લુપ્ત નહિ થાય ત્યાં સુધી એનો વિકાસ નહિ અટકે.
જગતની સપાટી ઉપર આજે જે બધાં તત્ત્વજ્ઞાનો વિદ્યમાન છે. એ બધાં, મનુષ્યની પેલી જિજ્ઞાસાવૃત્તિના વિકાસમાંથી ઉપલબ્ધ થયેલાં છે. નવું નવું જોવાની ને જાણવાની માણસની જિજ્ઞાસાવૃત્તિને ધન્યવાદ આપીને અને વંદન કરીને આપણે આગળ ચાલીશું તો પહેલો વિચાર એ આવશે કે એ જિજ્ઞાસાવૃત્તિમાંથી જગતને જે કંઈ મળ્યું છે, તેમાં નક્કર સત્ય શું છે? - આ પ્રશ્ન ઘણો વિકટ છે. જિજ્ઞાસાને સંતોષવા માટે કરવામાં આવેલી મહેનત કોણે કરી? કેટલી કરી? કેવી રીતે કરી? એની પાછળ કેટલો સમય ગાળ્યો? આ બધી બાબતોનો વિચાર આપણે કરવો પડશે. આ બાબતોનો વિચાર કરતાં કરતાં, મનુષ્યની બુદ્ધિશક્તિની મર્યાદાનો અપૂર્ણતાનો અને એના અહંભાવનો ખ્યાલ આપણને અચૂક આવશે. - વિજ્ઞાનની શોધ કરવામાં એક સોલ્યુસન નિરાકરણ માણસને મળતાં જ તે ફુલાઈ જાય છે. એની એ શોધ વિષે એ પોતે અને એના સાથીદારો તથા અનુયાયીઓ ભારે મોટાં નગારાં વગાડવા લાગી જાય છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ, અનાદિકાળથી, આવું જ બનતું આવ્યું છે. કોઈ કોઈ સાધકો, આત્મસાધના માટે કોઇક મંત્ર, જાપ, યોગ કે ધ્યાન ઈત્યાદિનો કોઈ
માર્ગ લઈને બેસી જાય છે. - એક જણને પ્રકાશનું કંઈક કુંડાળું દેખાય છે, એટલે “આત્મસાક્ષાત્કાર થઈ