________________
Sા ૧૨ મા
અનેકાંત અને સ્યાદ્વાદ હિ પ્રાથમિક
જૈન તત્ત્વજ્ઞાન વિષેની વાત કરતાં પહેલાં થોડીક પ્રાથમિક બાબતો આપણે વિચારી લઈએ.
જગતાં આજે ચારે તરફ આપણને જે જોવાનું જાણવા મળે છે તેમાં કેટલા બધા વિરોધાભાસો દેખાય છે? આ બધા વિરોધાભાસો, શું અસત્ય છે? ભ્રમ છે?
એકને જે દેખાય કે સમજાય છે તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એટલે, એ જોનાર અને ન જોનાર, સમજનાર અને ન સમજનાર, બધા શું ખોટા છે? એમની સાથે જરા વાત કરી જોશો તો જાણવા મળશે કે દરેક જણ પોતાને સાચા અને બીજાને ખોટા માને છે.
આજના યુગમાં, રાજકારણ પ્રધાન મહત્ત્વ ભોગવે છે. પ્રત્યેક વિચારશીલ નેતા, આ જગતમાં બધે જ પૂર્ણ લોકશાસનની યથાર્થ સ્થાપના થાય એ માટે ઝંખે છે. પરંતુ, આ એક જ “વાદવિષેની એ બધાની સમજણમાં કેટલું બધું અંતર છે?
Greatest good of the greatest number of people -'qul?hi qu? સંખ્યાના માણસો માટે વધારેમાં વધારે કલ્યાણ' એવી લોકશાસનવાદ વિષેની એક કલ્પના છે. Government of the people, for the people, by the people‘લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચલાવાતું રાજયતંત્ર, એવી પણ એક કલ્પના
છે. અહીં લોકોને બદલે “પ્રજા' એવો શબ્દ પણ વપરાય છે. આ બાબત આપણે વિચારીશું તો, તેમાં Greatest – વધારેમાં વધારે કલ્યાણ કોને કહેવું એ વાત ઉપર પણ ઘણા મતભેદો છે તે આપણને જાણવા મળશે. વળી લોકો અથવા પ્રજા શબ્દ અંગે પણ સંકુચિત તેમજ વિશાળ તથા તેની વચગાળાના એવા ઘણા અર્થો કરવામાં આવે છે.
આ બધામાં જે વિરોધાભાસો દેખાય છે, એ હકીકત પોતે જ એક મોટું લોકશાસન છે. પંડિત જવાહરલાલ નહેરુએ વર્ષો પહેલાં એક વાર લંડનમાં મળેલી કોમનવેલ્થના વડા પ્રધાનોની પરિષદમાં કહ્યું હતું કે :
“દુનિયામાં વસતા તમામ લોકો લોકશાસનવાદના કોઈ એક પ્રકાર પર જો સંમત થઈ જાય, બધાનો અભિપ્રાય જો એક સરખો થઈ જાય, તો પછી, લોકશાસન જેવું આ દુનિયામાં કંઈ રહેશે નહિ.”
આ વાત બહુ સમજવા જેવી છે. માનવ જાતના મૂળભૂત સ્વભાવનું તદન વાસ્તવદર્શી મૂલ્યાંકન એમાં રહેલું છે.
આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની બાબતમાં પણ કંઈક આવું જ છે. એમાં યે ભિન્નભિન્ન