________________
પર પ્રવેશ
જે પુસ્તકો વાંચ્યાં તેમાં સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં લખાયેલાં પુસ્તકો તો કોઈ હતાં નહિ. જૈન તત્ત્વવિજ્ઞાનનો વિપુલ ભંડાર આ બે ભાષાઓમાં સંઘરાયેલો પડ્યો છે. એના ઉપરથી અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં લખાયેલાં સંખ્યાબંધ પુસ્તકો હું જોઈ ગયો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરવાની અને એટલી ધીરજ રાખવાની અનુકુળતાં તો હતી જ નહિ.
- આમ છતાં, પૂજ્ય ગુરૂદેવની દોરવણી હું મેળવતો ગયો. જે ન સમજાયું તે વિષે તેઓશ્રી પાસેથી, રૂબરૂમાં અને પત્ર દ્વારા દોરવણી હું મેળવતો ગયો. તેમણે ખૂબ જ પ્રેમ, કરૂણા અને ઉત્સાહથી મને અપનાવ્યો અને માર્ગદર્શન આપવા માંડ્યું.
અર્વાચીન ભાષાઓમાં જે લખાયેલું છે તે અંગે, પૂજય ગુરૂદેવને પણ ઓછો અસંતોષ નહોતો. હું જયારે ઇંદોર હતો ત્યારે તેઓશ્રીએ એક પુસ્તક મને વાંચવા મોકલી આપ્યું હતું. આ અંગે તેમણે મને જે પત્ર લખેલો એમાનો થોડોક ભાગ અહિ નીચે રજુ કરું છું:
...નામની પુસ્તિકાની ત્રીજી આવૃત્તિ મોકલી છે. એક વખત નજર નાંખી જવાથી, સ્યાદ્વાદ ઉપર આપણે ત્યાં જે સાહિત્ય બહાર પડે છે, તે કેટલું અસ્પષ્ટ અને વાંચનારને વધારે ગુંચવાડામાં નાંખનારૂં છે એનો ખ્યાલ આવશે. છતાં, આ સાહિત્યમાં છુટા છવાયા સ્યાદ્વાદનાં સત્યો રહેલાં છે. તેને શોધી કાઢીને એક નક્કર સત્ય પીરસનારૂં અને વાંચનારની બુદ્ધિમાં સ્યાદ્વાદ સિદ્ધાંતની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આપનારું લખાણ તૈયાર થવાની જરૂર પણ સમજાશે.”
આવી જાતનું, સ્પષ્ટ ખ્યાલ આપનારૂં લખાણ તૈયાર કરવાની આવશ્યકતા તમને મારા અમેરિકા અને યુરોપના પ્રવાસો દરમિયાન સમજાઈ હતી. એ બાબતમાં બની શકે તો, યથાશક્તિ, કંઈક કરવાની ભાવના દિલમાં હતી જ. પૂજય ગુરૂદેવે મારી એ ભાવનાને પોષી અને એ અંગે કંઈક કરવાની પ્રેરણા મને આપી. - તે પછી, લાંબા વખત સુધી, સંયોગવશાત્ ગુરુદેવનો સંપર્ક પણ રહ્યો નહિ. પરંતુ એમણે જે બીજારોપણ કર્યું હતું તે મનમાં ને મનમાં સંઘરાયેલું પડ્યું હતું અને એનો વિકાસ ચાલુ જ રહ્યો હતો. વાંચન ને અભ્યાસ, યથામતિ વધારતો જ ગયો હતો.
એ બધાના ફળસ્વરૂપ, વર્ષો પછી, કલમ હાથમાં લઈને હવે લખવા બેઠો છું. શ્રી જિનેશ્વર ભગવંતને અને પૂજ્ય ગુરુ મહારાજને મનોમન વંદન કરીને આ પ્રયત્ન ચાલુ કરૂં છું. પરિણામ.....?
એનો નિર્ણય તો વાંચકવર્ગ અને ભવિષ્ય એ એના હાથમાં છે. મારે તો એટલી આ જ વિનંતી કરવાની કે હવે પછીનાં પ્રકરણોમાં જે કંઈ લખાયું છે તે ધીરજ, ધ્યાન અને સમભાવથી વાંચશો.