________________
ના પ્રવેશ
‘A few hundred - થોડાક સો.’ ‘એમ કેમ?’ મેં ત્રીજો પ્રશ્ન પૂછ્યો.
મારા આ ત્રીજા પ્રશ્નનો જવાબ એ ભાઇ આપી ન શક્યા. પણ, ચુપ રહીને પાછાં તેઓ બોલ્યા :
‘આ વાતને તમારા ધર્મ અંગેની વાત સાથે શો સંબંધ?’
થોડીવાર
ધર્મ અને ધર્મને પાળનારાઓની સંખ્યા, એ બે વાતને જેટલો સંબંધ છે, એટલો જ સંબંધ એ વાતને પણ છે. જે કામ ઘણું કઠીન હોય છે તે કામ ઘણા થોડા માણસો જ કરી શકે છે. ધર્મની બાબતમાં પણ આજે આવું જ બન્યું છે. જે કામ સરળ હોય છે તે કામ ઘણા માણસો કરી શકે છે. તેવી જ રીતે, જે ધર્મ પાળવાનું સ૨ળ જણાય છે તે ધર્મને ઘણી મોટી સંખ્યામાં અનુયાયીઓ મળી રહે છે, જે ધર્મને પાળવાનું કઠીન હોય છે, તેને નવા અનુયાયીઓ ઝટ મળતા નથી; એથી ઉલટું, જે અનુયાયીઓ હોય છે તેમાંથીયે ઓછા થતા જાય છે. પરંતુ, હું તમને ખાત્રી આપી શકું છું, કે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન, માનવામાં આવે છે તેવાં કઠણ કે અટપટાં નથી. શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ જે નડે, એને પાર કરવા જેટલી ધીરજ અને ક્ષમતા માણસ દાખવે, તો પછી, એને કશી મુશ્કેલી નહિ નડે. શરૂઆતમાં જંગલોને પહાડો જો ઓળંગી જવાય, તો પછી, મ્હેંક ટેંક થતું નંદનવન ચારે તરફ પથરાયેલું દેખાશે.’ મેં જવાબ આપ્યો.
‘તો તો પછી, તમારા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે હવે વિશેષ માહિતી મેળવવી પડશે.' એમણે ગંભીરતાપૂર્વક કહ્યું.
· ‘માત્ર વિશેષ નહિ, સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો.’ મેં જવાબ આપ્યો.
‘એને વિષે જરૂરી માહિતી મળી શકે તેવાં અંગ્રેજી ભાષામાં લખાયેલાં થોડાંક પુસ્તકોનું એક લિસ્ટ મને આપશો?' એમણે ઇચ્છા વ્યક્ત કરી.
અહિં હું હારી ગયો. નીચું જોઇ ગયો, કહેવા ખાતર કહી દીધું : ‘જરા વિચાર કરીને અને પૂરતી તપાસ કરીને એવાં પુસ્તકોનું એક લિસ્ટ હું તમને મોકલાવીશ.' ક્યાં શોધવું આ લિસ્ટ? આ બાબતની મારી અજ્ઞાનતાનું મને ભાન કરાવનાર મારા એ અમેરિકન મિત્રનો આભાર હું આજે પણ માનું છું.
**
જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે બહારના જગતમાં જે અજ્ઞાન પ્રવર્તે છે, એ વાતનું ભારે મોટું દુઃખ હૃદયમાં સંઘરીને હું ભારત પાછો આવ્યો. એ વાતનેયે આજે વર્ષોનાં વ્હાણાં વીતી ગયાં છે.