SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૮ અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ અમારું નહિ, આપણું, એમ કહો. તમે જન્મથી જૈન છો એ વાત શું ભૂલાઈ ગઈ છે? થોડુંક શરમાઈને, Thanks, આભાર-એટલા શબ્દો બોલી એ ભાઈ છૂટા પડ્યા. અમેરિકાના આ લેખકના પ્રવાસ દરમિયાન, ઉપર જણાવ્યા છે તેવા પ્રસંગો જેવો એક ત્રીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. આ વખતે એક અમેરિકન મિત્ર સાથે. થોડીક ચર્ચા થઈ. એ ભાઈ યહુદી હતા. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. થોડી ચર્ચા પછી એમણે મને કહ્યું : “જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને લગતી આ બધી વાતો તમે તો એવી રીતે કરી રહ્યા છો કે તમારું તત્ત્વજ્ઞાન 'Complete, absolute and all comprehensive છે – પૂર્ણ, સ્વતંત્ર, સર્વગ્રાહ્ય અને સર્વવ્યાપક છે.' ' : ‘બેશક. હું એવું માનું છું.” મેં જવાબ આપ્યો. હં. તો પછી, જરા એટલે મને કહેશો કે તમારા દેશની ભારતની કુલ વસ્તી કેટલી?” એમણે આડો સવાલ પૂછયો. ચાલીસ કરોડ.” મેં જવાબ આપ્યો. એમાં, તમારો ધર્મ પાળનાર જૈનોની વસ્તી કેટલી?' એમણે બીજો પ્રશ્ન પૂછયો. “બારથી પંદર લાખ.” મેં જવાબ આપ્યો. મારો જવાબ સાંભળીને એ ભાઈ ખડખડાટ હસી પડ્યા. પછી, ધીમે રહીને, જાણે એક મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય તેવા સંતોષપૂર્વક, એમણે મને એમનો ત્રીજો પ્રશ્ન પૂછ્યો: , જે ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે આવી મોટી મોટી અને અદ્દભૂત વાતો તમે કરી રહ્યા છો, એ ધર્મને માનનાર ને પાળનારાઓની સંખ્યા, આટલી નાની, આટલી અલ્પ કેમ?” જવાબમાં મેં તેમને સામો પ્રશ્ન પૂછ્યો.” આ ન્યુયોર્ક શહેરની વસ્તી કેટલી?” એંશીથી નેવુ લાખ જેટલી.” એમણે જવાબ આપ્યો. એ નેવું લાખમાં Millionairs-લક્ષાધિપતીઓ કેટલા?” બીજો પ્રશ્ન પૂછયો. આ પ્રશ્ન સાંભળીને એ ભાઈ મુંઝાઈ ગયા. છતાં જવાબ તો તેમણે આપ્યો.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy