SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મનું પ્રવેશ મારવાને બદલે, એનો ઇન્કાર કરવાને બદલે, શ્રદ્ધાનો ત્યાં આશ્રય લેવો એ માર્ગ કંઈ ખોટો નથી.” ‘તમારી વાત કંઈક સમજાય છે ખરી.” એ ભાઈ બોલ્યા. જે સમજાય છે અને દેખાય છે, એને સ્વીકારી લેવામાં પણ જોખમ છે. કેમ કે એ સમજણ કે દેખાવ પાછાં સત્યને બદલે કોઈ આભાસ ઉપર રચાઈ ગયાં હોય -એવું બનવાનું કંઈ અસંભવિત નથી. એટલે, જે સમજાતું હોય એના પ્રમાણ માટે સર્વજ્ઞ ભગવંતોના કથનનું અવલંબન લેવું અને જે ન સમજાય તે માટે, “આ મારાથી સમજાતું નથી.' એ વાતનો સ્વીકાર કરી લેવો એ વધારે સલામત માર્ગ છે. એમ કરવાને બદલે, “આ બુદ્ધિગ્રાહ્ય નથી માટે ખોટું છે, વિજ્ઞાને આની ઉપર મહોર મારી નથી માટે એ નકામું છે એમ કહી દેવું એ ઈષ્ટ નથી.” મેં કહ્યું. - “તમે જે વાત કરો છો તે આધ્યાત્મિક ક્ષેત્રની છે; વિજ્ઞાન તો ભૌતિક બાબતો ઉપર જ પ્રયોંગો કરી રહ્યું છે. એ બેને તમે Mix up-ભેગાં કરી દો એ કેમ ચાલે? પેલા મિત્ર પાસેથી એક નવી દલીલ આવી. - “આધ્યાત્મિક અને આધિભૌતિક બાબતો એક બીજાથી સ્વતંત્ર છે એવું તો આજે બહુ ઓછા જણ માનતા હશે. દષ્ટિભેદે તે જુદી દેખાય છે. વિજ્ઞાનનો દાવો છે કે માનવજાતના હિત માટે તેનું અસ્તિત્વ છે. જગતના આધ્યાત્મિક ગુરૂઓએ પણ માનવજાતનાં હિત અને કલ્યાણની દૃષ્ટિ સમક્ષ રાખીને જ વાતો કરી છે. જે ફરક છે તે સુખ અને કલ્યાણ વિષેની કલ્પનામાં સમજણમાં છે. મૂળમાં સુખ અને - કલ્યાણ તો બંને ઠેકાણે છે.” મેં જવાબ આપ્યો. * “પણ આપણે માત્ર ભૌતિક પ્રશ્નો જ વિચારીએ તો તેની રીત, અધ્યાત્મિક : વિચારણાથી જુદી નહિ પડે?” એમણે શંકા ઉઠાવી. “ના. બંને એક જ છે. આમ છતાં, કેવળ ભૌતિક બાબતો લઇએ, તોયે, . માણસે તો હજુ એકડેએકથી જ શરૂઆત કરી છે. પ્રોફેસર આઈન્સ્ટાઈને તેમનો Relativity-સાપેક્ષવાદનો સિદ્ધાંત-પ્રયોગશાળામાં સિદ્ધ કરીને જગતને બતાવ્યો ત્યારે દુનિયા દિંગ થઇ ગઈ હતી. પરંતુ, એમનો એ સાપેક્ષવાદ, જૈન તત્ત્વજ્ઞાનમાં ઠાંસી ઠાંસીને, હજારો-લાખો-વર્ષોથી, ભરાયેલો નિરૂપાયેલો-પડ્યો છે અને એની પાસે પ્રોક્સર આઇન્સ્ટાઇનની શોધ તો સિંધુ પાસે બિંદુ સમી જ છે એ વાત તરફ કેમ કોઇનું લક્ષ્ય દોરાતું નથી? મેં પૂછ્યું. “આ સાપેક્ષવાદ શું જૈન તત્ત્વજ્ઞાનમાં છે?” એમણે પૂછ્યું. ' જૈન તત્ત્વજ્ઞાનનો પાયો જ સાપેક્ષવાદ ઉપર ચણાયેલો છે.” મેં જવાબ આપ્યો. ‘ત્યારે તો હવે તમારૂં તત્ત્વજ્ઞાન વાંચવું પડશે.” એમણે કહ્યું.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy