SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અને સ્યાદ્વાદ , તે વખતે આપણી ખાત્રી થાય છે કે, ના, આપણે બેઠા છીએ તે ગાડી ચાલી નથી, આપણી પાછળની બાજુવાળી-ગાડી ચાલવા લાગી છે. આવો અનુભવ પણ તમને થયો તો હશે જ.” પણ આ તો બધા આભાસ છે. હકીકત નથી.' એમણે જવાબ આપ્યો. “આ આભાસ છે એવી ખબર તો આપણને પાછળથી પડે છે. વિજ્ઞાન દ્વારા આપણને જે કંઈ કહેવામાં કે બતાવવામાં આવ્યું છે, એ બધી જ હકીકતો છે અને તેમાં આભાસ નથી જ એવું ખાત્રીથી તમે કહી શકશો?' મેં પૂછ્યું. .. “એમ તો કેમ કહેવાય? અગાઉથી થએલી કેટલીક શોધખોળો, જે તે વખતે સાચી લાગતી હતી તે આજે નિષ્ફળ અને ખોટી હોવાનું પુરવાર થએલું જ છે, વળી, એક વખત જેને અશક્ય અને પોકળ કલ્પના માનવામાં આવતી હતી, એવી. ઘણી બાબતો આજે શક્ય પણ બની છે. શોધખોળ અને સંશોધન ચાલુ જ છે. પણ જે ખોટું હતું તેને બુદ્ધિપુર્વક અને પ્રયોગાત્મક પ્રમાણ દ્વારા ખોટું ઠરાવવામાં આવ્યું છે. જે નવું શોધાયું છે તે પણ બુદ્ધિ અને પ્રયોગનું જ પરિણામ છે.' એમણે જવાબ આપ્યો. “આ બુદ્ધિ શું સંપૂર્ણ અથવા અપરિમિત છે?' સામો પ્રશ્ન પૂછ્યો. “એમ તો કેમ કહેવાય?” “તો પછી, જે બુદ્ધિ પૂર્ણ નથી, એ બુદ્ધિ સ્વીકારે તે વાત જ માનવી અને જે વાતને એ “અપૂર્ણ બુદ્ધિ સમજી ના શકે એ વાતને માનવાનો ઇન્કાર કરવો, અને જ જો તમે બુદ્ધિવાદ માનતા હો તો પછી મારે કહેવું પડશે કે એ બુદ્ધિવાદ નહિ પણ “અહંવાદ' અને એમાંથી જન્મેલો “ઈન્કારવાદ' જ કહેવાય. આ વાત સાંભળીને એ ભાઈ કંઈક સંભ્રમમાં પડી ગયા. એમને મુંઝાતા જોઇ, સ્પષ્ટતા કરવાના ઇરાદાથી વળી પાછું મેં કહ્યું: બુદ્ધિમાં હું માનતો નથી કે વિજ્ઞાનના ક્ષેત્રમાં જે જબ્બર ક્રાંતિ હમણાં થઈ રહી છે અને હું નિરર્થક માનું છું એવું કપા કરીને ના માનશો. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જૈન આગમોમાં સર્વજ્ઞ ભગવંતોનાં જે વિધાનો સંગ્રહિત પડ્યાં છે એની સામે પડકાર ફેંકી શકાય એટલી હદે આજનું વિજ્ઞાન હજુ આગળ વધ્યું નથી. એથી ઉલટું, વિજ્ઞાને જે મહત્ત્વની શોધખોળો કરી છે, એનાં મૂળ, એ સર્વજ્ઞા ભગવંતોના કથનમાં પડેલાં જ છે. મારો મતલબ ફક્ત એટલો જ છે કે જે બુદ્ધિ, આજે મનુષ્ય પાસે છે, એ બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિના વધુ વિકાસ માટે કરવામાં આવે, તો, વિકસતી વિકસતી એ પ્રજ્ઞા કોઈને કોઈ કાળે પૂર્ણતાની નજીક અવશ્ય પહોંચશે. પરંતુ, ત્યાં પહોંચવા માટે, બુદ્ધિ દ્વારા જે ગ્રાહ્ય નથી એની સામે હુંફાડા
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy