________________
હત ૪ રામામડાના અનેકાંત અને સ્યાદ્વાદ ,
“એ વાત વાહિયાત નથી, પણ સાચી છે એવું હું હમણાં જ પુરવાર કરી આપું તો?
'You are welcome. એ સાબીત કરવા માટે મારું તમને આમંત્રણ છે.”.
અચ્છા. ત્યારે જુઓ; તમે સંસ્કૃતના અધ્યાપક છો. સંસ્કૃતનો તમારો અભ્યાસ એટલો બધો છે કે એ વિષયમાં તમે ગમે તેની સામે ઉભા રહી શકો. પણ લેટીન ભાષાનો અભ્યાસ તમે કર્યો નથી. લેટીન ભાષા બોલતા કોઈ પ્રદેશમાં તમે જાઓ, તો પલંગ નીચે પાણી હોવા છતાં તમારે તરસ્યા જ મરવું પડે કે નહિ? એ દૃષ્ટિથી, લેટીન ભાષાને લાગેવળગે છે ત્યાં સુધી તમે તદ્દન અભણ અને “ઢ' ગણાઓ કે નહિ ? એવું જ ફ્રેન્ચ, જર્મન, રશિયન વિગેરે ભાષાઓ બાબતમાં ખરું કે નહિ ?
મારી આ વાત સાંભળીને, એ ભાઈ વિચારમાં પડી ગયાં. થોડીવાર વિચાર કરીને પછી તેમણે જવાબ આપ્યો :
હા, એ દૃષ્ટિથી તમારી વાત સાચી કહેવાય ખરી..”
“તો પછી, સ્યાદ્વાદને તમે બંડલવાદ કે ગોટાળા પંચકવાદ હવે નહિ કહી શકો, તમે તો એકના એક જ છો; પણ, એક દૃષ્ટિથી તમે વિદ્વાન છો અને બીજી દૃષ્ટિથી તમે અભણ અને “ઢ” છો. એટલે, તમે વિદ્વાન છો અને વિદ્વાન નથી એ બંને, પરસ્પર વિરોધી વાતો સાચી છે એ હવે કબુલ કરશો? | મારા વિદ્વાન મિત્રને કંઈક પ્રકાશ મળતો હોય તેવું લાગ્યું. વારંવાર મળતા રહેવાની અને પત્રવ્યવહાર કરતા રહેવાની કબુલાત આપીને તેઓ ગયા. જતાં જતાં, આ વિષયમાં પોતે વધારે વાંચશે અને વિચારશે એવી ખાત્રી પણ તેઓ આપતા ગયા.
આવો જ એક બીજો પ્રસંગ પણ ન્યુયોર્ક શહેરમાં જ બન્યો. આ વખતે એક તેજસ્વી વિદ્યાર્થી સાથે ભેટો થઈ ગયો. વાત નીકળતાં જ એમણે કહ્યું:
“વીસમી સદી નામથી ઓળખાતા આ યુગમાં બુદ્ધિવાદ અને વિજ્ઞાન જેને સ્વીકારે નહિ, તેને કોઇ કબુલ નહિ રાખે; આ જમાનામાં પ્રયોગશાળામાંથી જેની સાબીતી ન મળી હોય, બુદ્ધિ જેને સમજી ના શકતી હોય, એવી કોઈપણ વાતનો સ્વીકાર કરવા કોઈ ભાગ્યે જ તૈયાર થશે. જૂની પૌરાણિક અને બુદ્ધિને અગમ્ય એવી કોઇપણ વાત કરવાનો કશો પણ અર્થ નથી.”
આ ભાઈ ભારતના વતની, પ્રદેશ ગુજરાતી અને ધર્મે જૈન હતા. વિલાયતમાં અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનનો વધુ અભ્યાસ કરવા હવે અમેરિકા આવ્યા હતા. તેમણે બુદ્ધિવાદ વિષેની વિસ્તૃત સમજણ મને આપવા માંડી.