________________
માં
પ્રવેશ
ૐ શ્રી જિનેન્દ્રાય નમઃ
પ્રવેશ આ તમારો અનેકાંતવાદ તો મોટું બંડલ છે બંડલ ! એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ શી રીતે રહી શકે? આ તો શબ્દોની નિરર્થક છાંટબાજી જેવું છે. એ, કેવળ બુદ્ધિચાતુર્યનો વિલાસ છે. ઝેર અને અમૃત એક સાથે રહી શકે નહિ; એ વાત તો નાનું બાળક પણ સમજી શકે તેમ છે. તો પછી, વિદ્વાન અને બુદ્ધિશાળી માણસના ગળે આ તમારો અનેકાંતવાદ તમે શી રીતે ઉતારી શકશો?
અમેરિકાના ન્યુયોર્ક શહેરની એક આલિશાન હોટલ-નિવાસ-ગૃહમાં, મળવા આવેલા એક વિદ્વાન મિત્રના મુખમાંથી, ચર્ચા દરમિયાન નીકળેલી આ ટીકા સાંભળીને આનંદ અને દુઃખ મિશ્રિત સ્મિતની રેખાઓ મારા મોઢા પર ઉપસી આવી.
અમે બંને તત્ત્વજ્ઞાન વિષે ચર્ચા કરી રહ્યા હતા. મારા આ મિત્ર ભારે બુદ્ધિશાળી અને જિજ્ઞાસાવૃત્તિવાળા હતા. તત્ત્વજ્ઞાન વિષે ચર્ચા કરતાં કરતાં, જૈન તત્ત્વજ્ઞાનનો જેવો મેં ઉલ્લેખ કર્યો કે તુરત જ તેમણે ઉપર મુજબ શબ્દો ઉચ્ચારીને, મને બોલતો જ બંધ કરી દેવાનો પ્રયત્ન કર્યો. | દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ઝેર અને અમૃત એ બંને નીકળ્યાં હતાં એ વાત તો તમે જાણતા જ હશો.' પૂછ્યું.
હા.” તેમણે જવાબ આપ્યો.
“સમુદ્રમાં ઝેર અને અમૃત બંને એક સાથે જ હતાં એ વાતની હવે તમે ના નહિ પાડી શકો.” મેં કહ્યું.
આ સાંભળીને એ મિત્ર વિચારમાં પડી ગયા. એમને વિચાર કરતા જ રહેવા દઈને મેં એક બીજો પ્રશ્ન તેમને પૂછયો :
‘તમારી ગણના એક વિદ્વાન તરીકે થાય છે, લોકો તમને જ્ઞાની અને પંડિત - માને છે, એ વાત સાચી છે?”
અલબતુ. એ વાત સાચી જ છે. વર્ષોના અધ્યયન પછી વિદ્વતા પ્રાપ્ત કરી શકાઈ છે. લોકો મને વિદ્વાન માને, ગણે અને કહે તેમાં કશું જ અવાસ્તવિક નથી.” એમણે જવાબ આપ્યો. - “અચ્છા, હવે જો કોઈ એમ કહે કે તમારામાં વિદ્વત્તાનો એક છાંટો પણ નથી, તમે તદ્દન “ઢ” છો, તો એ વાતને તમે કેવી ગણશો?' મેં ફરીથી પૂછ્યું. - 'Absurd ! - વાહિયાત-ખોટી'. એમણે તુરત જ જવાબ આપ્યો.
એમનો જવાબ સાંભળીને મેં પુનઃ સ્મિત કર્યું. પછી ધીમે રહીને તેમને કહ્યું :