SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ કરતા ૯૭ માં ‘આકૃતિ અને વ્યક્તિ આવે છે. દ્રવ્ય નિક્ષેપ : ભૂતકાળ તથા ભવિષ્યકાળ સાથે સંબંધ ધરાવતી વિવક્ષિત વસ્તુ યા વ્યક્તિના મૂળ સ્વરૂપનો, તે નામથી વર્તમાનકાળમાં ઉલ્લેખ કરવો એને ‘દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. દાખલા તરીકે ભારત વર્ષમાં સ્વાતંત્ર્ય મળ્યા પછી, બ્રિટિશ રાજય અમલ દરમિયાનના દેશના બધા દેશી રાજયોનું હિંદી સંઘમાં એકીકરણ કરવામાં આવ્યું છે, એ બધા રાજ્યોના જે રાજાઓ હતા તેઓ હવે “રાજા” રહ્યા નથી. આમ છતાં, વાસ્તવમાં રાજા મટી ગયેલા એ બધા મહાનુભાવોને આજે વર્તમાનકાળમાં, “અમુક અમુક રાજ્યના રાજા' તરીકે ઓળખવામાં, ઓળખાવવામાં અને સંબોધવામાં આવે છે. આ શબ્દ તેમના ભૂતકાળનો સૂચક હોવા છતાં, વ્યવહારમાં આપણે એમને રાજા” કહીએ છીએ. આ ‘દ્રવ્યનિક્ષેપ થયો. એવી જ રીતે, ભવિષ્યમાં કોઈ માણસને લાખો રૂપીયાનો વારસો મળવાનો હોય, તેને માટે વર્તમાનમાં પણ ‘લક્ષાધિપતિ' એવો શબ્દ-પ્રયોગ આપણે કરીએ છીએ. તેની અમુક ઉમ્મર થતાં લાખો રૂપીયા તેને મળે એવું એક ટ્રસ્ટ અત્યારે હયાત છે. પણ આજે એ રકમ તેની પાસે નથી. આમ છતાં, વ્યવહારમાં એને લક્ષાધિપતિ' કહેવામાં આવે છે. આ દ્રવ્યનિક્ષેપનો પ્રયોગ થયો. આમ સ્પષ્ટ રીતે હવે સમજાઈ જશે કે જે વસ્તુ અથવા વ્યક્તિ વિષે તેના ભૂતકાળ અથવા ભવિષ્યકાળને લક્ષમાં રાખીને કોઈ શબ્દનું આરોપણ આપણે વર્તમાનમાં જ્યારે કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય નિક્ષેપ થાય છે. ભાવ નિક્ષેપ કોઈ પણ વસ્તુ યા વ્યક્તિને, તેની વર્તમાન વ્યવસ્થા વિષે યા તેના વર્તમાન ગુણધર્મ અનુસાર સંબોધવી એને ભાવ નિક્ષેપ કહે છે. “પંડિત જવાહરલાલ નહેરૂ' એ શબ્દ “નામ નિક્ષેપ’ બતાવે છે. તેમના કોઈ ભૂતકાળને કે ફોટાને તે નામ આપવું તે “સ્થાપના નિક્ષેપ છે. વડા પ્રધાન પદ પરથી તેઓ ઉતરી જાય. ત્યાર પછી પણ તેમને ‘વડા પ્રધાન તરીકે ઓળખાવવા તે દ્રવ્ય નિક્ષેપ છે. જ્યારે વર્તમાનમાં, જયાં સુધી વડાપ્રધાન પદે તેઓ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને માટે ભારતના વડા પ્રધાન’ એમ કહેવું તે “ભાવ નિક્ષેપ થયો ગણાય. એવી જ રીતે દાન આપનારને દાતા, રાજય કરનારને રાજા, કુસ્તીબાજને પહેલવાન, કાવ્ય લખનારને કવિ, સંઘ કાઢીને લઇ જનારને સંઘવી વિગેરે શબ્દો દ્વારા તેમની તે તે ક્રિયાની વિદ્યમાનતામાં તે રીતે તેમને ઓળખીએ તે ભાવ નિક્ષેપ કર્યો એમ કહેવાય. આમ આ ચાર નિક્ષેપમાં આપણે એક જ વસ્તુ યા વ્યક્તિને ચાર જુદા જુદા
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy