SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ હા ૭૮ ગામ અનેકાંત અને સ્યાદ્વાદ , સાથે રાખીને પાંચમું કશુંક કારણ પણ કામ કરતું હોય છે. દાખલા તરીકે, જૈન શાસ્ત્રમાં કોળના (જનો પાછળ તથા અહીં ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બે વિભાગ બતાવ્યા છે, તે દરમિયાન કેટલુંક કાર્ય ક્રમશઃ અને નિશ્ચિત રીતે થતું હોય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢતો હોય છે. જ્યારે અવસર્પિણી કાળ તે વૈભવમાં ક્રમશઃ ઉતરતો-પડતો હોય છે. મનુષ્યના શરીરનું પ્રમાણ-કદ-અવસર્પિણી કાલની શરૂઆતમાં જ હોય છે તે ક્રમશઃ ઓછું થતું આવે છે. એ જ રીતે મનુષ્યનું આયુષ્ય પણ ક્રમશઃ ઘટતું આવે છે. અવસર્પિણી વિભાગ પૂરો થાય અને ઉત્સર્પિણી શરૂ થાય ત્યારથી એ કદ અને પ્રમાણ વધતા જાય છે. એ ક્રમ કાળચક્રના પ્રત્યેક વિભાગમાં નિશ્ચિત હોય છે. આ બધાની પાછળ એક કારણ તરીકે “ભવિતવ્યતા’ મુખ્ય ભાગ ભજવે છે. અહીં એ. યાદ રહે કે કોઇ પણ કાર્ય માટે નિયતિ ઉર્ફે ભવિતવ્યતાને એકલું તથા સ્વતંત્ર કારણ જૈન દાર્શનિકોએ ગણ્યું નથી. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જયાં ચાર કારણો ભેગા મળીને કાર્યને પૂર્ણ નથી કરી શકતા ત્યાં જ નિયતિ આવે છે એવું નથી; પ્રત્યેક કાર્યમાં બધા ભેગા થઈને પાંચે પાચ કારણો સામાન્ય રીતે કામ કરતા હોય છે. એ દરેક કાર્યમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી અમુક એક કારણ મુખ્ય-પ્રધાન-ભાગ ભજવતું હોય, ત્યારે બીજા ચાર ગૌણપણે રહેલા હોય છે. એટલે જયાં નિયતિ સિવાયના કારણો મુખ્યપણે કે ગૌણપણે રહેલા હોય છે ત્યાં નિયતિ એક પાંચમા કારણ તરીકે અનિવાર્યપણ રહેલી જ હોય છે. ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરની ઈચ્છારૂપી ભવિતવ્યતાની જ્યારે વાત કરે છે, ત્યારે તેઓ તે એક માત્ર કારણને સર્વકાર્યનિર્યતા માને છે. જયારે જૈન તત્ત્વજ્ઞાનીઓ ભવિતવ્યતાને પાંચ કારણમાંના એક તરીકે માને છે. આ વાત બરાબર સમજી લેવા જેવી છે. નિયતિને એકને જ માત્ર સર્વ કાર્યના કારણરૂપ માનવામાં આવે તો કર્મ (પ્રારબ્ધ) અને પુરૂષાર્થની આખીય વાતનો છેદ જ ઉડી જાય. મૂળ વાત ઉપર પાછા આવતાં, આપણે એટલું સ્પષ્ટ સમજી લઈએ કે અહીં ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ ઇશ્વરકૃપા કે નશીબ અથવા પ્રારબ્ધ એવો થતો નથી. આ નસીબ ઉર્ફે પ્રારબ્ધ તો, જેને આપણે “ક” નામનું ચોથું કારણ ગણું છે, તેમાં આવી જાય છે. કર્મઃ કર્મને કારણ માનનારા કર્મવાદીઓ માટે બીજો, સરળ અર્થ સમજાવતો શબ્દ “પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધ માટે સામાન્ય રીતે સામાન્ય લોકો “નશીબ એવો શબ્દ વાપરે છે. “જેવું તેનું નશીબ' એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે પૂર્વના
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy