SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ તર્કભાષા વાર્તિકમ્ શંકાકાર :- ‘અતિશિયતં સાધક કરણ.’ આમ જે કહ્યું છે તેમાં અતિશયિત્વ એટલે શું ? વ્યાપારવાળું હોવું, ઉત્કૃષ્ટ હોવું, અસાધારણ હોવું ક્રિયાયોગ વગરનું ન હોવું કે બીજું કંઈ છે ? તેમાં પહેલો કલ્પ તો સુંદર નથી. ઘડા વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે તે પણ વ્યાપારવાળો છે. એથી બીજો પક્ષ પણ સુંદર નથી કારણ કે ઘડો કદમાં નાનો હોય તો જલાહરણનું કારણ ન બને અને કદમાં મોટો હોય (ઉત્કૃષ્ટ હોય) તો જ જલાહરણમાં કારણ બને એવું તો નથી. તેથી કારણ બનવા-ન બનવા અંગે ઉત્કૃષ્ટત્વમાં કોઈ વિશેષ નથી. તાત્પર્ય એ છે કે... ઘડામાં જે કદમાં સહુથી મોટો હોય તેમાં ઉત્કૃષ્ટત્વ રહેશે પણ તેમાં અન્ય ઘડાઓ કરતા કૉઈ વિશેષતા નથી આવતી, તેથી ઘડામાં અતિશાયિત્વ નહીં આવે અને ઉત્કૃષ્ટત્વ આવી જશે તેથી ઉત્કૃષ્ટત્વ ઘડામાં અતિવ્યાપ્ત બનશે. તેથી બીજો વિકલ્પ બરાબર નથી. ચોથો પક્ષ બરાબર નથી, કારણ કે ઘડામાં પણ ક્રિયાને અયોગ નથી. એટલે ક્રિયાના યોગથી ફળ સંબંધિતા આવવાથી તેમાં (ઘડામાં) કરણત્વની આપત્તિ આવશે. માટે ઘડામાં અતિવ્યાપ્તિ આવે. પાંચમો પક્ષ પણ સુંદર નથી, કારણ કે તે પક્ષ ક્યો છે ? તેનું પ્રતિપાદન જ કરવામાં આવ્યું નથી. (કોઈ પણ વસ્તુ•સારી-નરસી છે તેનો ખ્યાલ તેને દેખાડવાથી-સ્વરૂપ કહેવાથી જ સંભવી શકે) पटरूपजनेनोपक्षीणत्वात् । पटं प्रत्यपि कारणत्वे कल्पनागौरव प्रसङ्गात् i तेनानन्यथासिद्धनियतपूर्वभावित्वं कारणत्वम् । अनन्यथासिद्धनियतपश्वाद्भावित्वं कार्यत्वम् I तृतीयपक्ष न्याय्य एव अतिशयवत् कारणमित्यत आह यस्येति कारणं कर्तर्यनटिवृद्धौ च सिद्धं । यस्य कार्यात् पूर्वभावस्तत्कारणमित्युक्ते दैवादागतरासभादावतिव्याप्तिस्तन्निरासाय नियतेति तावत्युक्ते तन्तुरुपादावतिव्याप्तिस्तन्निरासाय अनन्यथासिद्धेति तत्रान्यथासिद्धिस्त्रिधा, तथाहि यं पुरस्कृत्य यस्य पूर्वभावो ऽवगम्यत
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy