SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ તર્કભાષા વાર્તિકમ્ છે. (૨) કોઈ કહે પાણી પીવાથી અાહ થાય છે, અહીં પાણી પીવું તે અાદહનું કરણ છે, આ વાત પ્રમાણથી સિદ્ધ નથી તેનો સ્વીકાર બીજું અનિષ્ટ છે. વ્યાપ્તિ ૧. તર્કની અપ્રતિહતિ ૨. વિપર્યયમાં અવસાન ૩. અનિષ્ટ ૪. અનુકૂલ ન હોવું. ૫. આ પાંચ વર્ષના અંગ છે. - મૂતરું ઘટમાવવત્ ઘટનામાવત્ આ અનુમાનને નિમ્નોકત રીતના તર્કથી સિદ્ધ કરી શકાય છે. (૧) આપાદકમાં આપાધ વ્યાપ્તિનો નિશ્ચય. જેમકે ઘટનો અભાવ આપાદક છે, ત્યાં ઘટનું દર્શન આપાંધ છે. "જ્યાં ઘટનો સદ્ભાવ હોય છે ત્યાં નિરૂપત નેત્રવાળાને અવશ્ય ઘટ દર્શન થાય છે એવી વ્યાપ્તિનો નિશ્ચય થવો. એથી ઘડો હોત તો દેખાત એવો તર્ક ઉભો કરી શકાય. (૨) વિરોધી તર્કથી પ્રસ્તુત તર્કનો વિરોધ- પ્રતિઘાત ન થવો. જેમ કે આત્માને અનિત્ય/ક્ષણિક સિદ્ધ કરવા કોઈએ તર્ક આપ્યો કે જો આત્મા નિત્ય હોય તો એમાં કશો ફેરફાર ન થવો જોઈએ. જ્યારે જૈનો પર્યાયરૂપે અનિત્યમાની, “આત્મા સર્વથા અનિત્ય હોત તો પ્રત્યભિજ્ઞા ન થાત” આ તર્કથી પૂર્વનો તર્ક હણાઈ જાય છે. આવું ન બનવું જોઈએ. એટલે અકાશ્યક્તિનો પ્રયોગ કરવો. (૩) ધર્મમાં આપાઘ- ઘટદર્શનના અભાવનો (વાદીનો) પાકો નિશ્ચય હોવો જોઈએ. એટલે તેમાં ફેરફાર થાય તેવી હકીકત ન હોવી જોઈએ. કબુગ્રીવાદિયાનું કંઈક માટીની બનાવટ સામે પડેલી દેખાય છે, આવા દર્શનનો ભાસ ન થવો જોઈએ. (૪) ભૂતલ ઉપર વિશેષતા સન્નિકર્ષથી ઘટદર્શનાભાવ પ્રમાણસિદ્ધ છે, તેનો પરિત્યાગ થવાથી ઘટદર્શન ઈષ્ટ નથી. (૫) ધર્મમાં (ઘટ રહિત ભૂતલમાં) ઘટદર્શનની આપત્તિ પ્રતિવાદીને પણ અનુકૂળ આવે તેમ નથી. એમ આ તાર્કિકરક્ષામાં વરદરાજે જણાવ્યું છે. આમાંથી એકપણ અંગ ઓછું હોય તો તે તર્વાભાસ છે. अयं चानुमानस्य विषयशोधकः प्रवर्तनमानस्य धूमवत्त्वलिङ्गकानुमानस्य विषयमग्निमनुजानाति । अनग्निमत्त्वस्य प्रतिक्षेपात् । अतोऽनुमानस्य भवत्यनुग्राहक इति ।
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy