SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કભાષા વાર્તિકમ્ છે. કારણ કે દ્વિત્પાદિ તેમજ સંયોગાદિ કારણગુણથી જન્ય નથી. ઘટપટાદિમાં રહેલ જે પાકથી અજન્ય એકત્વ તે જેનું અસમવાયિકારણ છે એવા દ્વિત્યાદિ તે પાકઅજન્ય છે. કેમકે કારણ સ્વરૂપ તત્તુ અનેક હોવા છતાં, પટ તો એકજ પ્રતીત થાય છે, તેમાં તન્તુગત સંખ્યા નામનો ગુણ ભાગ ભજવે છે. પરંતુ કાંઈ પાક કરવાથી ઘટ, પટમાં નવું એકત્વ પેદા થતું નથી વળી અપેક્ષા બુદ્ધિથી બે વગેરેની પ્રતીતિ થાય છે. અને અન્ય દ્રવ્યથી જોડાય ત્યારે સંયોગની પ્રતીતિ થાય છે, પરંતુ ત્યાં પણ તન્તુ ગત સંયોગ ઉપયોગી નથી. જે ઘટમાં સમવાય સંબંધથી દ્વિત્વપેદા થાય છે, તેમાં પાકથી અજન્ય એકત્વ સમવેત હોવાથી દ્વિત્વ વગેરેનું એકત્વ અસમવાયિકારણ કહેવાય. એથી જ કહે છે... અપાકજ રૂપ રસ ગંધ સ્પર્શ, પરિમાણ ગુરૂત્વ×વત્વ અને સ્નેહ વગેરે કારણગુણથી ઉત્પન્ન થનારા છે. પાકજ રૂપાદિતો પાકની મહિમાથી જ પેદા થઈ જાય છે, તેમાં સમવાયિકારણનું રૂપ વગેરે કામ આવતું નથી. : નોદનાદ્ ઃ- વેગ વગરનાં સ્પર્શવાળા દ્રવ્યના સંયોગથી. અભિદ્યાનાદ્ :- વેગવાળા સ્પર્શવાળા દ્રવ્યના સંયોગથી. = પ્રત્યક્ષસિદ્ધ વ્યણુકને પક્ષ કરી યણુકને સાધે છે. ઋણુક = ત્રસરેણુ જાળીમાંથી આવતાં સૂર્યકિરણ ઝીણામાં ઝીણી જે રજ ચોતરફ દેખાય છે, તે સ્વલ્પ પરિમાણવાળા દ્રવ્યમાંથી ઉપજી છે. કારણ કે તે ઘટની જેમ કાર્ય દ્રવ્ય છે. અહિં ‘ઋણુક સ્વલ્પપરિમાણદ્રવ્યારબ્ધ કાર્યદ્રવ્યત્વાત્' અહિં હેતુમાં માત્ર દ્રવ્યત્વાત્ મૂકીએ, તો ગગનાદિમાં વ્યભિચાર આવે. કેમકે તે પણ દ્રવ્ય તો છે જ, પણ કોઈપણ સ્વલ્પ દ્રવ્યથી બનેલ નથી. નિત્ય હોવાથી. તે માટે કાર્યપદ મૂકયું. ગગન કાર્ય નથી માટે વ્યભિચાર ન આવે. હવે માત્ર કાર્ય પદ રાખીએ તો શબ્દ વિ.માં વ્યભિચાર આવે. શબ્દ એ કાર્ય તો છે પણ સ્વલ્પ દ્રવ્યથી શબ્દ બનતો નથી, એથી દ્રવ્યત્વાત્ પદ મૂકયું, શબ્દએ દ્રવ્ય નથી. તે સ્વલ્પ દ્રવ્ય તરીકે હ્રયણુકની સિદ્ધિ થાય છે. तत्र पृथिव्यादीनां चतुर्णां कार्यद्रव्याणामुत्पत्तिविनाशक्रमः कथ्यते । द्वयोः परमाण्वोः क्रियया संयोगे सति द्वयणुकमुत्पद्यते । तस्य परमाणू समवायिकारणम् । तत्संयोगोऽसमवायिकारणम् । अदृष्टादि निमित्तकारणम् । ततो द्वयणुकानां त्रयाणां क्रियया संयोगे सति त्र्यणुकमुत्पद्यते । तस्य ૨૦૭
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy