________________
૭૧
ઉત્તમસત્ય) - એમનામાં સત્યવચન નથી. તેથી સિદ્ધ થાય છે કે નિશ્ચયથી સત્યવચન એ સત્યધર્મ નથી..
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે શું અણુવ્રત, મહાવ્રત ધર્મ નથી? શું સમિતિ, ગુપ્તિ પણ ધર્મ નથી? તે અણુવ્રતો અને મહાવ્રતોને આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્ર આસવાધિકારમાં લીધા છે. જો કે એમને કોઈ–કોઈ સ્થળે ઉપચારથી ધર્મ કહ્યો છે, પરંતુ જે આસવ હોય, બંધના કારણ હોય તેમને નિશ્ચયથી ધર્મસંજ્ઞા કેમ હોઈ શકે?
| ગુપ્તિ, સમિતિ પણ ઉત્તમ સત્યધર્મ નથી. તાત્પર્ય આ છે કે જે 'ઉત્તમસત્યધર્મની ચર્ચા અહીં ચાલી રહી છે; ગુપ્તિ, સમિતિ તે ધર્મરૂપ નથી.
ધ્યાન દેવા યોગ્ય વાત આ છે કે ગુપ્તિ, સમિતિ ઇત્યાદિથી વિશેષ પૃથકપણે દશધર્મોની ચર્ચા આચાર્યોએ કરી છે. જો બધાને ધર્મ જ કહેવા હોય તો આમને જુદા પાડી ધર્મ કહેવાનું શું પ્રયોજન? જે અપેક્ષાએ આમને પૃથકપણે ધર્મ કહ્યા છે તે અપેક્ષાએ હું કહેવા માગું છું કે તે બધા આ દશધર્મો પૈકી કોઈ ધર્મ નથી. અથવા જેની ચર્ચા ચાલી રહી છે તે “સત્યધર્મ તેઓ (ગતિ આદિ) નથી. અધિક સ્પષ્ટ કર્યું તો નિચયથી વચનને સત્યધર્મ સાથે કોઈ સંબંધ નથી, કેમકે અણુવતી અને મહાવ્રતીઓનું સત્ય બોલવું એ સત્યાવ્રત અને સત્યમહાવ્રતમાં ગણાશે, હિત–મિત–પ્રિય વચન બોલવું – એ ભાષા–સમિતિમાં તથા ન બોલવું – એ વચન–ગુપ્તિમાં સમાવિષ્ટ થઈ જશે. હવે વચનની એવી કોઈ સ્થિતિ બાકી નથી રહેતી જેને સત્યધર્મમાં ગણી શકાય.
જો સત્ય બોલવાને સત્યધર્મ માનીએ તો સિદ્ધોને સત્યધર્મ રહેશે નહી. કેમકે સત્ય બોલતા નથી. તેઓ બોલતા જ નથી તો પછી સત્ય અને જૂઠનો પ્રશન જ કયાં ઊઠે છે? શું સત્યધર્મ ધારણ કરનારે બોલવું જરૂરી છે? શું જીવનભર મૌન રહેનાર સત્યધર્મધારી ન થઈ શકે?
એનાથી બચવા માટે જો એમ કહેવામાં આવે કે તેઓ સત્ય તો નથી બોલતા, પરંતુ જૂઠ પણ તો નથી બોલતા; તેથી એમને સત્યધર્મ છે. તો પછી સત્ય બોલવું એ સત્યધર્મ ન રહ્યો, બલ્ક જૂઠું ન બોલવું એ સત્યધર્મ થયો. પરંતુ આ વાત પણ તર્કની કસોટી પર યથાર્થ ઉતરતી નથી. કેમકે એ જૂઠું નહીં બોલવાને સત્યધર્મ માનીએ તો પછી વચનવ્યવહારથી રહિત