SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમસત્ય) . ૯ જયાં સત્યની શોધ, સત્યની ઉપાસનાની વાત ચાલે છે ત્યાં નિશ્ચિતપણે સત્યવચનની શોધની વાત નથી, પરંતુ કોઈ એવા મહત્વપૂર્ણ અવ્યકત સત્યની વાત છે જે ઉપાસ્ય હોય, આશ્રય કરવા યોગ્ય હોય. દાર્શનિકો અને આધ્યાત્મિક પુરૂષોનું ઉપાસ્ય, આશ્રયદાતા સત્ય માત્ર વચનરૂપ હોઈ શકે નહી. જેના આશ્રયે ધર્મ પ્રગટ થાય, જે અનન્ત સુખ–શાનિનો આશ્રય બની શકે એવું સત્ય કોઈ મહાન ચેતનતત્વ જ હોઈ શકે. એને વાણીવિલાસ પૂરતું મર્યાદિત કરી શકાય નહીં. એને વચન પૂરતું મર્યાદિત કરવું એ જ સ્વયં સૌથી મોટું અસત્ય છે. ' આચાર્યોએ વાણીની સત્યતા અને વાણીના સંયમ ઉપર પણ વિચાર કરેલો છે, પરંતુ એને સત્યધર્મથી પૃથક જ રાખેલ છે. વાણીની સત્યતા અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે તેમણે એને ચાર સ્થાનોમાં બાંધ્યા છે – (૧) સત્યાણવ્રત (ર) સત્યમહાવ્રત (૩) ભાષાસમિતિ અને (૪) વચનગુપ્તિ. ' . મુખ્યપણે સ્થૂળ જૂઠું ન બોલવું એ સત્યાણુવ્રત છે. સૂક્ષ્મ પણ જૂઠું ન બોલવું, હંમેશા સત્ય જ બોલવું એ સત્યમહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય, અસીમ ન બોલતા હિત-મિત અને પ્રિય વચન બોલવું એ ભાષાસમિતિ છે, અને બોલવું જ નહીં – એ વચનગુપ્તિ છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જિનાગમમાં વચનને સત્ય અને સંયમિત રાખવા માટે એને ચાર સ્થાનોમાં પ્રતિબંધિત કરેલ છે. તાત્પર્ય આ છે કે જો બોલ્યા વિના ચાલે તો બોલો જ નહી; ન ચાલે તો હિત–મિત–પ્રિય વચન બોલો અને તે પણ સંપૂર્ણ સત્ય, જો સૂમ અસત્યથી ન બચી શકાય તો સ્થૂળ અસત્ય તો કદીય ન બોલો. છે . અહીં વચનને અસ્તિ અને નાસ્તિ–બને બાજુથી બાંધી લીધું છે. સત્યાણુવ્રત અને ભાષાસમિતિમાં શું બોલવું અને કેવું બોલવું એના રૂપ માં અતિ ને તથા વચન ગુપ્તિ માં બોલવું જ નહીં (મૌન) ના રૂપમાં નાસ્તિને લઈ લીધું છે. આ પ્રમાણે અહીં બોલવું અને નહીં બોલવું—એમ વાણીના બંને પડખાઓને સમાવિષ્ટ કરી લીધાં છે. ' વાણીને આટલી સંયમિત કરી દીધા પછી હવે શું બાકી રહી જાય છે કે જેથી સત્યધર્મને પણ આપ ભાષાની સીમામાં બાંધવા ઈચ્છે છો ? " સત્યધર્મને વચન પૂરતો સીમિત કરી દેવાથી એક મોટું નુકસાન એ
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy