________________
ઉત્તમશૌચ)
૫૫
બીજા પણ કોણ જાણે કેટ–કેટલા પ્રકારના લોભી હોય છે ? ચાર પ્રકારના લોભ તો આચાર્ય અકલંકદેવે જ ‘રાજવાર્તિક’ માં ગણાવ્યા છે– જીવન–લોભ, આરોગ્ય-લોભ, ઈન્દ્રિય-લોભ અને ઉપભોગ—લોભ. આચાર્ય અમૃતચંદ્રે પણ ‘તત્વાર્થસાર’ માં ચાર પ્રકારના લોભની ચર્ચા કરી છે. તેઓ લખે છે :
परिभोगोपभोगत्वं जीवितेन्द्रियर्भेदतः ।
चतुर्विधस्य लोभस्य निवृत्ति : शौचमुच्यते ।।१७।।
ભોગ, ઉપભોગ, જીવન અને ઈદ્રિયોના વિષયોનો—એમ લોભ ચાર પ્રકારનો છે. આ ચારેય પ્રકારના લોભનો ત્યાગ એ શૌચધર્મ છે.
ઉપરોકત બંને પ્રકારોમાં માત્ર એટલો જ ફરક છે કે અકલકંદેવે ઉપભોગમાં ભોગ અને ઉપભોગ બંનેનો સમાવેશ કરી લીધો છે. તથા આરોગ્યનો લોભ અલગ ભેદ પાડી કહ્યો છે.
લોભના ઉકત પ્રકારોમાં રૂપિયા—પૈસાનો લોભ કયાંય પણ આવતો
નથી.
લોભના ઉપર્યુકત પ્રકારો પર ધ્યાન દઈએ તો પંચેન્દ્રિયોના વિષયોના લોભની જ મુખ્યતા જણાઈ આવે છે, ભોગ અને ઉપભોગ ઇન્દ્રિયોની વિષયગ્રહણ શકિત સાથે સંબંધ ધરાવે છે. કેમકે પાંચ ઈન્દ્રિયો સિવાય શરીર અન્ય શું ચીજ છે ? ઈન્દ્રિયોના સમુદાયનું નામ જ તો શરીર છે. જીવનનો લોભ પણ શરીરનો સંયોગ કાયમ રાખવાની લાલસાથી વિશેષ શું છે ? આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે વિષયોમાં ઉકત સઘળા પ્રકારો સમાઈ જાય
છે.
પંચેન્દ્રિયોના વિષયોના લોભમાં ફસાએલા જીવોની દુર્દશાનું વર્ણન કરતાં તથા લોભના ત્યાગની પ્રેરણા દેતા પરમાત્મપ્રકાશકાર આ પ્રમાણે લખે છે ઃ—
रूवि पयंगा सद्दि मय गय फासहि णासंति ।
अलिडल गंधई मच्छ रसि किम अणुराउ करंति ।।२/११२ ।। जोइय लोहु परिच्चयहि लोहु ण भल्लउ होइ ।
लोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।।२/११३ ।।