SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધર્મનાં દશ લક્ષણ) પૈસાની કેવી રીતે બાંધી શકાય? * પૈસા તો વિનિમયનું એક કૃત્રિમ સાધન છે. રૂપિયા-પૈસામાં એવું કાંઈ નથી જે જીવને લોભાવે. લોકો એના રૂપ પર લલચાય છે કે ન સ્ત પર. જે કાગળની નોટો પાછળ આ મનુષ્ય મરી મીટવા તૈયાર થઈ રહ્યો છે તે કાગળની નોટો જો ગાયની સામે રાખવામાં આવે તો તે સુંઘશે પણ નહીં; જયારે ઘાસ પર તૂટી પડશે. ગાયની દૃષ્ટિમાં નોટોની કિંમત ઘાસ જેટલી પણ નથી; પરંતુ પોતાને સભ્ય કહેનાર મનુષ્ય એની ખાતર દિન-રાત એક કરતો હોય છે. એમા એવો શું જાદૂ છે? એમના માધ્યમ દ્વારા પંચેન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય છે, માનાદિ કષાયોની પૂર્તિ થાય છે. આ કારણે જ મનુષ્ય એના પ્રત્યે લોભાય છે. જો એમના માધ્યમ દ્વારા ભોગોની પ્રાપ્તિ સંભવિત ન બને, યશાદિની પ્રાપ્તિ સંભવિત ન બને તો એમને કોઈ કોડીના ભાવે પણ ન પૂછે. .. પૈસાની પ્રતિષ્ઠા આરોપિત છે, સ્વયંની નથી, તેથી પૈસાનો લોભ પણ આરોપિત છે. રૂપના લોભી, નામના લોભી રૂપિયા-પૈસા પાણીની જેમ વાપરવા સર્વત્ર જોવામાં આવે છે. કયાંક કોઈ સુંદર કન્યાદેખી કે રાજા સાહેબલોભાઈ ગયા. પછી શું? ગમે તે થાઓ, તે કન્યા મળવી જ જોઈએ. આવાં સેંકડો ઉદાહરણો પુરાણોમાં ઈતિહાસમાં મળી આવશે. રાજા શ્રેણિકચેલનાના અને પવનંજય અંજનાના રૂપ પર જ તો લોભાયા હતા. નામના લોભી પણ એમ કહેતા મળી આવશે – ભાઈ! બધાને એક દિવસ મરવાનું જ છે, કાંઈક કરતા જાઓ તો નામ અમર રહેશે. આત્માને મરણશીલ અને નામને અમર માનવાવાળા બીજા કોણ છે? નામના લોભી જ તો છે. નામની અમરતામાં શું દમ છે? એક નામની અનેક વ્યકિતમાં હોય છે, ભવિષ્યમાં કોણ જાણશે આ કોનું નામ હતું? નામની અમરતા માટે પાટિયા પર નામ લખાવનારાઓ જરા એ તો વિચારો – ભરત ચક્રવર્તી જયારે પોતાનું નામ લખવા ગયા તો ત્યાં ચક્રવર્તીઓ નાં નામો થી ભરેલી શિલા જોઈ. એક નામ મિટાવીને પોતાનું નામ લખવું પડયું. તે વિચારવા લાગ્યા – હવે પછી થનાર ચક્રવર્તી મારૂં નામ મિટાવીને પોતાનું નામ લખશે.
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy